પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૭૭ દ્વિરેફની વાતા

“ એ તે એ ખાઈ ક્યાંની હશે, તેને કેમ કરી મેળવવી તેને વિચાર કરું છું. ” .. શીતલસિંહે કહ્યું: “ અરે એવા વિચાર થાય ? મન તે ઢેઢવાડે જાય પણ તેનું કાંઈ કહ્યું કરાય ? એ વાત એટલેથીજ દાટી દ્યો હવે.’’ ચંદનસિંહે કહ્યું: “ અરે એમ તે થાય હવે? એક વાર એ જોગ એસારવા મથીશ તે ખરા. પછી કરવું ન કરવું હિરના હાથમાં છે. ’’ શીતલસિંહે કહ્યું: “ એ બાઈ કાણ હાય, ક્યાંની હાય, એવું જોખમ ખેડવાની શી જરૂર. ચંદનસિંહે કહ્યું: જોખમ વગર કશી વાત દુનિયામાં બનતી નથી. કાલ સાંજ વેળા આ વડલા હે; ભેગા થઈશું. ઈશ્વર કરશે તેા કાલ નક્કી કરીને જ આવીશ. ')

.. અન્ને છૂટા પડ્યા. ચંદનસિંહ ઘેર ગયેા. જમવાના વખત થયે। ત્યારે ઠીક નથી કરી જમવા ન ગયેા. સાંજે હમેશની પેઠે બહાર ઘેાડું લઈ કરવા પણ ન ગયેા, અને વળી વાળુ પણ ન કર્યું. રાતે તેની સ્ત્રી તેને મળી. તરત કળી ગઈ કે પતિ કંઈક ચિન્તામાં છે. તેણે ન જમવાનું કારણ પૂછ્યું. ચંદનસિંહે કંઈ ખરા ખાટા જવાબ આપ્યા. સ્ત્રીએ છેવટે સમ દઈને પૂછ્યું. ચંદનસિંહે કહ્યું કે વાત કરતાં જીભ ચાલતી નથી, એવી ચીજ મેળવવાની છે. સ્ત્રીએ કહ્યું કે કાની પાસેથી મેળવવાની છે. સામ દામ ભેદ દંડથી જેની પાસેથી મેળવવી હાય તેની પાસેથી મેળવા, તેમાં ચિન્તા શી કરાછે. ચંદનસિંહે કહ્યું: “ એ ચારેય ઉપાયાથી પણ એ આસામી પાસેથી મેળવાય એમ નથી.” સ્ત્રીએ પૂછ્યું: “એવું કાણુ છે ” ચંદન- સિહથી કહેતાં શું કહેવાઈ ગયું કે એ બીજું કાઈ નહિ પણ તું પાતે છે. સ્ત્રીએ કહ્યું: “આ દીવાની શાબ્વે કહું છું જે કહેશે તે આપીશ. અને તમે ન માગે તે। તમને વહાલાના સમ છે.” ચંદનસિંહ હાં હાં કરતા રહ્યો અને સ્ત્રીએ તો સમ દઈ દીધા. 39