પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત ધનુભાઈ : એ ખરું. પણ વાર્તામાં દરેક ગૌણ ભારત વિશિષ્ટ રીતે કહેવી જ જોઈ એ એવું નથી. કલ્પનાથી કેટલીક કડીઓ પોતે મેળવી લેવી અથવા વાર્તાની ખાતર એ બરાબર છે, એમ માની લેવી જોઈએ. વાર્તાને અમુક ભૂમિકા હોય છે. છે એ ભૂમિકા ઉપર કવિ વાર્તા રચે છે. તે રચના સુસંગત અને સુસંબદ્ધ જોઈ એ, પણ મૂળ ભૂમિકા કાંઈ તથ્યની જ હોવી જોઈ એ એમ કહેવાય નહિ. વાર્તાની રચનામાં જેમ રસ વધારે તેમ ભૂમિકાનાં ગાબડાં ડેકી જવાની કલ્પનાની શક્તિ વધારે. રસહીન વાર્તામાં ગમે તેટલું ટૂંકું અંતર પણ ફેકવાને નારાજ હાઈ એ છીએ. એક ડગલું ભરવાને પણ નારાજ હાઈ એ છીએ. પણ આ વાર્તામાં આટલું ઠેકવું પડે તે વધારે પડતું નથી. વાર્તા એટલી રસિક છે કે કલ્પના આટલું ખુશીથી ધારી લે. ૧૦૪ મેં કહ્યું : પણ આટલી કડી વાર્તાકાર ન મેળવી શકે એટલી ક્ષતિ તેા ખરીને. ધનુભાઈ : જો કલ્પના આના ખુલાસા સિવાય આગળ ચાલી જ ન શકે તે ક્ષતિ ખરી. પણ મને એવું લાગતું નથી. ઊલટા, હું તે આવી કડી સારી રીતે મેળવી પણ શકું. એટલું જ નહિ મારા હાથમાં વારતા કહેવાનું હેાય તે હું તે એ કડી મેળવીને વારતા કહ્યું. પ્રમીલા : થે। મેળવીને કહેા ત્યારે. ધીરુબહેન હા કહા, પણ એ તમારી સ્વતંત્ર વાર્તા નહિ ગણાય. ધનુભાઈ: શીતલસિંહ અને ચંદનસિંહ બન્ને નાનપણનાં ગાઠિયા હતા. બન્ને એક જ નિશાળમાં ભણવા જતા. ત્યારથી બંનેને દોસ્તી થઈ. શીતલસિંહ શહેરમાં રહેતા અને ચંદનસિંહ પાસેના નાના ગામમાં રહેતા અને હમેશાં ચાલીને નિશાળે આવતા. 43