ધીરુબહેન : કોણે લખેલો છે ?
મેં કહ્યું : મ’મ નામના તખલ્લુસથી આવેલો છે.
ધનુભાઈ : હું વાંધો લઉં છું કે તખલ્લુસવાળો પત્ર ન ચાલે. આપણે તો સાચું નામ જોઈએ. તે વિના કોઇને સભ્ય શી રીતે કરી શકીએ ?
પ્રમીલા : હં. હં. તમે તમારે એમ કરીને વાત લંબાવો ને ! ભાભી ! આ વાંધો ખોટો છે. આપણું મંડલ વાર્તાવિનોદમંડળ છે અને વાર્તાસાહિત્ય નવ્વાણું ટકા તખલ્લુસવાળું હોય છે. કેટલાક લેખકોને તખલ્લુસ કાઢી નાંખવાનું કહો તો વાર્તા જ ન લખે. મારે મન ધૂમકેતુ અને તણખા એ અવિશ્લેષ્ય વસ્તુઓ છે.
ધીરુબહેન : હવે કોઈ ને કાંઈ કહેવું છે?......તો ત્યારે મારો નિર્ણય કે માત્ર તખલ્લુસવાળી વાર્તા મંડળમાં વાંચી શકાય, પણ સભ્ય થતી વખતે તો ખરું નામ આપવું જ પડે.
મેં કહ્યું : લ્યો થયું ?! ત્યારે જુઓ, આ વાર્તા તો મારે વાંચવી પડશે ખરું ને?
ધીરુબહેન : વાંચો.
મેં વાંચવું શરૂ કર્યું.
૧[૧]શ્રી મંત્રીજી,
વાર્તાવિનોદમંડલ. મુ. પ્રસ્થાન.
[ ધીરુભાઈ : મુકામ પ્રસ્થાન એ વદતોવ્યાઘાત છે. મુકામનો અર્થ સ્થાયી રહેવાનું ઠામ થાય છે, અને પ્રસ્થાનનો અર્થ ચાલવા માંડવું એવો થાય છે. એટલે મુકામ પ્રસ્થાન કહી જ ન શકાય.
- ↑ ૧ અહીંથી શરૂ થતું બધું લખાણ વાર્તા પૂરી થાય ત્યાં સુધીનું મ’મ તખલ્લુસધારીનું છે. વચમાં વચમાં વાર્તા–વિનેાદ મંડલનાં સભ્યોએ કરેલ વાતચીત [ ] આવા કૌંસમાં છે તે મેં મૂકી છે,-તેને માટે સંમતિ હોવાથી.દ્વિરેફ