લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
દ્વિરેફની વાતો

મનહર૦ : હવે તો નાળિયેરના ય બે આના થયા છે કોને કડવા લાગે ?

અનન્ત૦: ત્યારે આ માતાજી તો જોવાં પડશે. અહીંથી કેટલેક થાય ?

પરશો૦ : હવે એ તો એની મેળે જોવાશે. આપણે દૈવજ્ઞોની છેડાછેડી ત્યાં છૂટે છે.

અનન્ત૦: તે વખતે નીરાંતે ન જોવાય. મારે બધું ફરીને જોવું છે. તો અત્યારે ચાલીએ.

પરશો૦: હવે હમણાં માનપુરથી તારાં મોસાળિયાં આવશે. ને અમરાપરથી તારાં કટંબી આવશે. પછી સામૈયું થશે. પછી જાનીવાસામાંથી તો વરરાજાથી ખસાય જ નહિ.

જયંતી૦ : હવે ન શું ખસાય? એ તો બધું ય થાય. હવે તો સુધારાનો જમાનો આવ્યો છે. પણ વરરાજા, તમારે ચા ન પીવી હોય તો ન પીઓ, પણ અમને તો પાવી પડશે. અમારા ગામને ટીંબે એ રિવાજ છે. તમારી પાસે સાધન ન હોય તો આ મનહરકાકાને ત્યાં બધી સોઈ છે. દૂધનો એક આનો ને ચા ખાંડનો એક આનો. બસ, આ કયું શહેર છે? એ તો મારી ગા નથી દૂઝતી, તે પૈસાનું કહેવું પડે છે.

અનન્ત૦: લલિતા ! આ મનહરભાઈ ને બે આના આપ તો.

લલિતા ઓરડામાંથી આવી ટ્રંક ઉઘાડી બે આના આપે છે. ચારે ય જુવાનો જવા ઊપડે છે. તેમને

અનન્ત૦ : પણ માતાએ જવાનું નક્કી છે હોં !

છોટા૦: અમારે આજે ચંડીપાઠ કરવાનો છે. ત્યાં જ હઈશું. આવજો. બધું બતાવીશું.

જયંતી૦ : ગાઉએક છે. ચાલી તો શકશો ને!

અનન્ત૦ : તમે મારી સાથે ચાલી શકો તો સાચા.

મનહર૦ : ચા અહીં લાવીએ કે વરરાજા? તમે પીતા નથી માટે પૂછું છું.