લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
કુલાંગાર

બહેનને સંન્યાસી કરવાની અત્યારથી નાતના પંચ આગળ કબૂલત આપે. તે એમ ન કરે તો એનો વિવાહ તોડી નાંખવો.

ત્રિભુવન ભટ્ટ દૂરથી આવતા હોય છે. તે તરફ કોઈનું ધ્યાન નથી.

મનહર૦ : હા. જો આ પંડ્યાની છોડી એને ન પરણાવે તો બીજાને પરણવા થાય ને !

જયંતી૦ : ત્યારે આવું કંઈક તરત કરવું જોઈએ.

ત્રિભુ૦ : ( ગર્ભદ્વારમાં ડોકિયું કરી ) તમારો તે દી ઊઠ્યો છે કે શું તે મને સમજાતું નથી. ચંડીપાઠના પૈસા લ્યો છો, તે અહીં આવીને તડાકા મારો છો. આ ખાવા પીવા ટળવાના છો ખાવા પીવા !

વાદળાં જરા ઘેરાતાં જાય છે.
 

જયંતી૦ : પણ એનું તમારે શું? તમારે ઘેર ખાવાનું માગવા આવીએ ત્યારે ન આપશો.

ત્રિભુ૦ : હું તો તમા

રા સારા સારુ કહું છું. શ્રદ્ધા રાખીને પાઠ કરશો તો જજમાનનું સારું થશે; ને જજમાનનું સારું થશે, તો તમારું સારું થશે.

છોટા૦ : એ તો જજમાનનું સારું જ થવાનું,—બ્રાહ્મણને દાન આપે એટલે.

ત્રિભુ૦ : તમે માતાનો અનાદર કરો છે એ સારું નથી કરતા હોં !

મનહર૦ : છોરુ કછોરુ થાય પણ માતા કમાતા ન થાય.

જયંતી૦ : કાકા એમ શું ચીડાઓ છો ! જુએ આ વાદળાં ચડે છે એટલે અંદર થતું હતું અંધારુ. અમે બહાર આવવાનું કરતા હતા, ત્યાં તમે આવ્યા. અમે પાછા પાઠ કરવા બેસીએ છીએ. ( ત્રણેય બહાર આવવા માંડે છે. )

મનહર૦ : ત્રણ વરસ ઉપર બરાબર આ જ મહિનામાં કરા પડ્યા’તા ને ઘમીરશીંહની ભેંશ મરી ગઇ’તી એ યાદ છે?