લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
દ્વિરેફની વાતો

લલિતા : ત્યારે એક વાત કબૂલ કરો તો કાલ નાતના પંચમાં જવા દઉં.

અનન્ત૦ : શી !

લલિતા : ગમે તેમ થાય તો પણ કાલ તમારે ઉશ્કેરાવું નહિ, ઉશ્કેરાઓ તો પણ કોઈને મારવું નહિ. બહુ થાય તો ત્યાંથી ચાલી નીકળવું. કબૂલ?

અનન્ત૦ : હા કબૂલ ! જો એક તારી ખાતર કબૂલ, નહિ તો—

લલિતા: મારી ખાતર શા સારુ ? ગાંધીજી પણ હંમેશાં અહિંસક રહેવાનું જ કહે છે.

અનન્ત૦: મેં ક્યારે કહ્યું કે હું ગાંધીજીનો અનુયાયી છું. તું જ્યાં હોય ત્યાં કહેતી ફરે છે !

લલિતા : ( કૃત્રિમ ક્રોધથી) ઠીક લો, પાછા મારા પર ચિડાઓ ના ! સૂઈ જાઓ.

અનન્ત૦ : ( તદ્દન સ્વસ્થ થઈ ) તું સુઈ જા. મને એકદમ ઊંઘ નહિ આવે. થોડી વાર વાંચી ને સૂઈશ.

લલિતા : ( પાસે દીવો મૂકતાં ) લ્યો વાંચો, એટલી વાર પથારીઓ કરું.

લલિતા પથારીઓ કરવા ઊભી થાય છે. પડદો પડે છે.

દૃશ્ય ચોથું

સમય: બીજા દિવસના ત્રણેક વાગ્યાનો. પડદો ઊપડતાં નાતની વાડીમાં નાતનાં માણસો ભેગાં થયાં છે. લાંબી પડાળીમાં બૂંગણ પાથર્યાં છે ને તેમાં જાત જાતનાં વસ્ત્રો પહેરી જાત જાતની બેઠકોમાં માણસો આડા અવળા બેઠાં છે. એક બાજુ તનમન૦ લટકતા તોરાવાળી રેશમી ચકરી, દક્ષિણી, લાલ પાઘડી પહેરીને અને જરીવાળી શાલ ઓઢીને ભીંતને અઢેલીને બેઠો છે. એક જગાએ ત્રિભુવન ભટ્ટ માત્ર ધોતિયું પહેરેલા, ખભે એક ધોતિયું ગડ વાળેલું મૂકી, એક ફાળિયું ઢીંચણે બાંધી