પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર ૧૫૩ પાર્વતી: (લાકડી પછાડીને) ત્યારે નાતને મફત અભડા- વારો એમ ! નાતતે એળખા છે ? નહિ ઓળખતા હા–નાતમાં રહ્યા નથી તે. (લાકડીવતી જમીન પર લીટા દેરતાં) નાત તે સગાઈ તાડશે, મીઢળવાળે હાથે પાછાં જવું પડશે, ફરી ક્રાઈ ચાંલ્લા નહિ કરે, ને એ...ન તે આટલેથી (પાતાના નાકપર છરીની પેઠે આંગળી ફેરવતાં) નાક વઢાઈ જરો. અનન્તઃ મારી એક વાત સાંભળેા. તમે મને નાત બહાર મૂકવા હોય તો મૂકેા. પણ એક ન્યાયની દૃષ્ટિથી વિચાર કરા, તમે મારી પાસે હજાર રૂપિયા ખરચાવીને સહસ્ત્રચંડી કરાવા છે, તે સ્પર્શદેાષ ટાળવા માટે. હવે હું જે પૈસા ન આપું, તે। તમે એટલા ખરચીને સ્પર્શદોષ ટાળવાના છે ? ખરચ કરીએ ? જેણે તેમાં અમારે શું ? અનન્ત: ત્યારે માતાને કાપ માથે વહેરી લેવા હું તૈયાર છું. મારી પાસે શા માટે સહસ્રચંડી કરાવા છે ? તમે પોતે સહસ્રચંડી વિના પણ માતામાં તમારા વ્યવહાર ચલાવી શકવાના છે ! કાઈ ગૃહૂ: અમે શા સારુ એટલું મર પાપ કર્યું હશે એને પ્રાશ્ચત લાગશે. જયંતી: પણ નાત કહે છે કે તમારે સહસ્રચંડી કરાવવી. અનન્ત: પણ તમે માતા, તે ન કરે, તે હું ન માનું, તેની પાસે કરાવવી, એને અર્થશે? ત્રિભુ: ( પહેલી જ વાર ક્રોધે ભરાઈને ) તમે ધર્મની બાબતમાં તર્ક ન કરો. તમે જાણો છે ? તર્ક કરવાથી ઇંદ્રને પણ શિયાળ થવું પડયું હતું ! અનન્તઃ (જરા હસીને) પણ હું શિયાળ નથી થઈ ગયા એ જ બતાવે છે કે હું ખાટા તર્ક નથી કરતો. દ્દોઃ અરે દુષ્ટ ! નાતનું અપમાન ! તારી સાત પેઢી નરકમાં જશે, કુલાંગાર ! તનમનશંકર, તમે કેમ કાંઈ એલતા નથી ? 32