પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગયા હતા. કૂતરાં, વાંદરાં, ખિસકોલીઓ અને કબૂતર અને કાબરો સુધ્ધાં ટાઢથી મરી ગયેલાં રસ્તા ઉપર પડેલાં હતાં. શહેરમાં મજૂરી કરવા આવેલું કાઠિયાવાડનું એક કુટુંબ નદીની રેતમાં સૂઇ રહેલું તે આખું, ધણીધણિયાણી અને પાંચ છોકરાં સર્વે ટાઢથી મરી ગયેલાં હતાં. એક વર્તમાનપત્રમાં વળી કોઇ લહેરી કવિએ આ ટાઢ ઉપર કવિતા જોડયું હતું જેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે હતી :- બહુ અવગુણ પણ એક અદ્વિતીય ગુણ, પિયુ-પ્રિયા હૈયાં આવાં બદ્ધ કદી હતાં નહિ.

આવી રાત્રે શાંતિલાલે બાર વાગ્યા સુધી અંદર દીવાનખાનામાં ફર્યા કર્યું. માલતીને સૂતાં સૂતાં આ સાંભળ્યા કર્યું. પણ તે તેને સૂવા ઊઠવાનું કહી શકી નહિ. શાંતિલાલ સૂતા પછી પણ તેણે તેના ઉજાગરાના શ્વાસોચ્છ્વાસો અને પછી ઊંઘમાં નિ:શ્વાસો સાંભળ્યા કર્યા. ચિંતા, ગુસ્સો, દ્રોહ, મૂંઝવણ એ સર્વથી તેને રાત આખી ઊંઘ આવી નહિ. સવારના સમયે તેણે દાદર ઉપર કંઇક અવાજ સાંભળ્યો. દૂધવાળો હશે જાણી તે કમાડ ઉઘાડી બહાર ગઇ અને ત્યાંનું દ્રશ્ય જોઇ તે ક્ષણભર સ્તબ્ધ જ થઇ ગઇ.

કોદર એક કોથળાની માફક ભીંજાયેલે કપડે ઢગલો થઇ પડયો હતો. માલતી તેને ઓળખી શકે તે પહેલાં તેણે કહ્યું : 'બહેન, ભાઇ ગમે તેમ કહે પણ તેમને આજે મશાલો નાખીને ચા પાજો, નહિતર શરદી થઇ જશે. બાપુ કહેતા ગયા છે.' માલતી બહાદુર હતી, નહિતર કોદરના ભયંકર મૃત્યુપારથી આવતા જેવા અવાજથી તે ભડકી ગઇ હોત.

તેણે એકદમ ઘરમાં જઇ 'કોદરભાઇ બેભાન થઇ ગયા છે, ઝટ ઊઠો.' કહી શાંતિલાલને ઉઠાડયો. બંનેએ તેને ઊંચકી ઓરડામાં પહેલો જ માલતીનો ઢોલિયો આવ્યો તેના