લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
મેહફિલે ફેસાનેગુયાન : કોદર

પર સુવાડ્યો. “તમે તેમને કોરા કરી ગરમ કપડાં પહેરાવો.” કહી તેણે ટુવાલ અને પતિનાં જે ઝટ હાથમાં આવ્યા તે ગંજીફરાક વગેરે હાજર કર્યાં. નોકરને જગાડી તે જ વખતે દાક્તરને બોલાવવા દોડાવ્યો. ઘરમાં જઈ સ્ટવ કરી તેના પર ગરમ પાણી મૂકી, ઘરમાંથી કોદરે જ તૈયાર કરેલો સૂંઠનો ભૂકો આણી, તેણે કોદરને પગે ઘસવા માંડ્યો. શું કરવું તે શાન્તિલાલને વારંવાર પૂછતી તે જીવ પર આવી કોદરને બચાવવા તેની સારવાર કરવા લાગી.

પણ તે સારવાર વ્યર્થ ગઈ. ડૉક્ટર આવ્યો અને તેણે કહ્યું કે થોડા કલાકનો જ સવાલ હતો. માલતીએ મસાલો નાખી ચા કરીને આણી, પણ કોદર પી શક્યો નહિ. અને સવારના નવેક વાગે, જેની સેવામાં તેણે જીવન વિતાડ્યું હતું અને ખોયું હતું, તેની એક છેલ્લી સેવા લઈ તે વિદાય થઈ ગયો.

દિવસ આખો કોદરની અંતિમ ક્રિયામાં ગયો. રાત્રે શાન્તિલાલ તેના ઓરડામાં સૂવા ગયો ત્યારે માલતી આરામખુરશી પર માથું નાખી પડી હતી. શાન્તિલાલ જોઈ શક્યો કે તે રડતી હતી. પાસેના ઢોલિયા પર બેસી શાન્તિલાલે ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ધીમેથી માથું ઊંચું કરી તેને કહ્યું : “તેમાં તું શા સારુ રડે છે? એ જતો તો રહ્યો મારા કહેવાથી !” અને એમ કહેતાં તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઈક શબ્દની જ જરૂર હોય તેમ આટલું સાંભળી તેણે શાન્તિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુપ્રવાહે રડી દીધું. શાન્તિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઈક ઓછું થયું ત્યારે ફરી કહ્યું : “તેમાં તારો શો દોષ?” માલતીએ રડવું રોકી કહ્યું : “નહિ નહિ નહિ. તમે એને લડ્યા તે મારાથી કંટાળીને. હું જ એને ખરી મારનાર છું.” એમ એમ કહી તેણે ફરી રડવા