પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત હાટલના ઘોંઘાટમાં ડૂબી ગઈ હતી તે સંભળાવા માંડે છે. નિલનીબહેનની વાતચીતમાંથી અસહકારીઓ વિશે વાત શી રીતે થવા માંડી તે જાણવાની આપણે જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ કે વાતચીત હમેશાં સ્વૈરવિહારી હોય છે. ૧ લા : હવે જાણ્યા તમારા અસહકારીએ. હજી તે। આ લડતને નામે જુવાન પુરુષોને જે છૂટ મળી છે તેનું શું પરિણામ આવે છે એ તેા જોજો ! ૨ જો : તમે નકામા વહેમાઈ જાએ છે ! ૧ લા : પણ નજરે જોઈએ તે ન વહેમાઈએ એ કેમ અને ? સાંભળેા. તે દિવસે આપણે સવારમાં ઊચા તે સામા ધરમાં પેલી ખાદીધારી આઈ સુંદર ભજન ગાતી હતી તે યાદ છે? પેલા ત્રીજો આવેલા માણસ જેને નામ જાણ્યા પહેલાં આપણે આગન્તુક જ કહીશું તે ખાતેા ખાતેા વાતમાં ધ્યાન આપે છે. ૨ જો હા, અને ત્યારે પણ તમે જ વહેમાયા હતા,— પેલા રાજપુરના જાગીરદાર તમારે ઘેર આવેલા હતા તેમના કહેવા ઉપરથી, કે આમ નાત નહિ, જાત નહિ, સગું નહિ. સાગવું નહિ, ને એક જુવાન સુંદર સ્ત્રી કાઈ પરાયા પુરુષની સારવાર કરવાને બહાને રહે, તે શું ય હશે ! રાજપુરનું નામ ખેલાતાં આગન્તુક અજાણતાં ખાવાનું ધીમું કરી વાતમાં વધારે ધ્યાન આપે છે. ૧ લે : હા. અને તમે કહેલું કે આટલાં સુંદર આશ્રમ- ભજનાવલીમાંથી ભજને ગાય એ સ્ત્રીના ચારિત્રમાં કંઈ ખોટું હાય એમ હું માની શકું નહિ. ૨ જો હું હજી પણ એમ જ માનું છું. મને એ 69