પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬ દ્વિરેફની વાતે પુછાવ્યું હતું. વિરાધસેને બહુ જ વિનયથી ખાસ વૈતાલ મંત્રી પાસે સામને જવાબ અપાવ્યો હતો કે મગધ અને ભાજને પૂર્વનો સંબંધ છે. દંડકાધિપતિ એ સંબંધની ખાતર માત્ર નામના કર લેશે. તે તે માત્ર એટલું જ ઇચ્છે છે કે મગધનાં રાજ્યરત્નોમાં કૌસ્તુભમણિરૂપ આજીવકરૈ ધુન્ધુમાર પોતાના શાલામિત્ર હતા; બન્ને ઘણાં વર્ષો તક્ષશિલામાં ભેગા રહ્યા હતા અને ત્યાર પછી કદી મળ્યા નથી તે કૃપા કરી તેમને રાજ્યની અનુકૂળતાએ એકાદ માસ મોકલતા રહે તે અમાર અરણ્યવાસ કંઇક એ કષ્ટપ્રદ થાય વગેરે વગેરે. મગધ અને દંડકા એક સીમાડાનાં નહેાતાં. તેમને વૈરભાવ હોવાનું કશું કારણ નહેતું. ખરી રીતે દંડકાનાં હવાપાણી એવાં ગણાતાં અને તેમાં આવિકા, અનાર્યો અને કિરાતાની વસ્તી એવી જંગલી ગણાતી કે કાઇને આ દેશ ઉપર આંખ રાખવાનું કારણ નહેાતું. જતાં આવતાં અને રાજ્યનાં કામકાજમાં સગવડ મળે માટે સૌ તેમની સાથે સારાસારી રાખતાં, પણ કાઈ ભાજોની ઉચ્ચ ક્ષત્રિયકુલામાં ગણના કરતું નહિ. આ સંસ્કૃતિનાં કેન્દ્રોથી દૂર અનાયેયમાં રહેવાથી તેમને માટે રાજ્યમાં હીણું ખેલાતું. ભાજો કાઈ ક્ષત્રિયકુલાના સ્વયંવરમાં જવાની હામ ભીડી શકતા નહિ. તેમને, ખાટા આર્ય ગણાઈ ગયેલા હલકી કામના ક્ષત્રિયે! અને આવક રાજાએની કન્યાએ લાવવી પડતી. શિષ્ટાચાર શીખવા અને રાજ્યની પ્રતિષ્ઠા વધારવાને જ વિરાધસેનને તક્ષશિલામાં અભ્યાસ કરવા મોકલેલા હતા. આ સધળી પરિસ્થિતિ અને હકીકતની ભોંય ૧ સામ દાન ભેદ દંડ એ ચાર ઉપાયા પૈકી સામ એટલે સમનવવું, સારું લગાડવું, ૨ જગતમાં જે કાંઈ છે તે નિયત છે એમ માનનાર એક નિયતિવાદી શ્રમણસંપ્રદાય, 2