પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


પ્રકરણ ૧૬ મું.

મિસ નાઇટીંગેલે જે મહાન પરોપકારનું કાર્ય આરંભ્યું હતું તે ઘણી લાંબી મુદત સુધી તેમણે ઉત્સાહપૂર્વક કાયમ રાખ્યું. ઈ. સ. ૧૮૭૧ માં તેમની લાંબી મુદતની ઈચ્છા સંપૂર્ણ થઈ કેમકે તે વર્ષે સેંટ ટોમસ હોસ્પીટલને લગતો નર્સોનો એક આશ્રમ, અને તેમની કેળવણીને માટે શાળાની સ્થાપના થઈ. આ સંસ્થાને લીધે કેળવાએલી અને સારા કુટુંબની સ્ત્રીઓએ ધંધા તરીકે નર્સીંગ શીખવાનો આરંભ કર્યો. આ મકાનનો પાયો નામદાર રાણી સાહેબને હાથે ઈ. સ. ૧૮૬૮ માં નંખાયો હતો અને તેમાં બધી સગવડ મિસ નાઇટીંગેલના કહ્યા પ્રમાણેજ કરવામાં આવી હતી.

ઈ. સ. ૧૮૭૧ માં આ મકાન નામદાર રાણી સાહેબને હાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મકાનના મધ્ય ભાગમાં નર્સનાં કપડાં પહેરી સ્ક્યુટેરાઈમાં નહાનો સરખો દીવો લઈને રાતની તપાસ માટે ફરતાં હતાં, તે વેષમાં મિસ નાઇટીંગેલનું પૂતળું મુકવામાં આવ્યું છે.

આ શાળામાં શીખતી નર્સોનો અભ્યાસ કેવો ચાલે છે, તેમની સંસારિક સ્થિતિ કેવી છે એ સર્વની માહિતી મિસ નાઇટીંગેલ પત્રદ્વારા હજી સુધી રાખે છે.

તે જ વર્ષમાં (૧૮૭૧) મિસ નાઇટીંગેલે સુવાવડખાનાં ઉપર એક પુસ્તક લખ્યું. અને બે વર્ષ પછી ધર્મ સંબંધી કાંઈ ખુલાસાના નિબંધ લખ્યા. જન્મથી જ તેમનું વલણ ધાર્મિક બાબત ઉપર ઘણું જ હતું, અને છેવટના ભાગમાં બિછાનામાં સુતે સુતે મનન કરીને તેમણે, પોતાના મત ઘણી વિદ્વતાથી બતાવ્યા છે.

મિસ નાઇટીંગેલે પોતાનું આખું જીવન લોકહિતાર્થમાં ગાળ્યું છે,