પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
હિંદી મતાધિકાર

થાય. હું હજી પણ મારી વાતને વળગી રહું છું કે ભયનું કશું પણ કારણ નથી, અને જો યુરોપિયન સાંસ્થાનિકો માત્ર અાંદોલનને મરવા દેશે અને જૈસે થે હાલતને ફરી ચાલુ રાખવાને સંમતિ આપશે તો તેઓ જોઈ શકશે કે હિંદીઓના મત તેમના મતને ગૂંગળાવી નહીં દે. એ ઉપરાંત મારું એવું કહેવું છે કે જો આવા સંજોગો ઊભા થવા પામે તો સીધી અથવા પરોક્ષ રીતે રંગ બાબતનો ભેદભાવ દાખલ કરવાની જરૂર વિના એનો પહેલેથી ઉપાય થઈ શકે. કેળવણીની એક સાચી અને બુદ્ધિપુર:સરની કસોટી હિંદી મત યુરોપિયન મતને ગૂંગળાવી દેવાના ભયને (જો કદી એવો ભય હોય તો) કદાચ કાયમને માટે નાબૂદ કરી દેશે, અને બને ત્યાં સુધી એ કસોટી જ એવા કોઈ ખૂબ વાંધાભર્યા યુરોપિયન મતદારો હોય તો તેમને પણ મતદારોની યાદી પરથી દૂર રાખશે.

"જી. ડબલ્યુ ડબલ્યુ." ખરેખરા મતોની તુલનાત્મક સંખ્યાને આધારે કરેલી દલીલો સામે વાંધો ઉઠાવે છે અને "આવતા વર્ષની મતદાર યાદીમાં શું ભરેલું હશે" એ વાત તરફ ધ્યાન ખેંચે છે, હું એમને એ હકીકત તરફ ધ્યાન આપવા વિનંતી કરું છું કે જોકે હિંદીઓ માટે ગયે વર્ષે અને તે પહેલાંને વર્ષે મતદાર યાદીને ઉભરાવી દેવાની દરેક તક હતી, અને હવે રદ થવાની અણી પર છે એવા મતાધિકાર કાનૂનના પરિણામ વિષેના ભયને કારણે એમ કરવાનું તેમને દરેક પ્રલોભન પણ હતું, તોપણ હિંદી મતદારોની સંખ્યામાં કશો વધારો થયો નથી. આવું પરિણામ આવવાનું કારણ કાં તો એમની અસાધારણ ઉદાસીનતા હોઈ શકે અથવા મતદાતા તરીકેની લાયકાતનો અભાવ હોઈ શકે. પણ એ કાંઈ એવી કોઈ ઉદાસીનતાને કારણે હોવા સંભવ નથી કારણ કે છેલ્લાં બે વર્ષ થયાં આદોલન તો જારી જ હતું.

તોપણ હું સમય અને સ્થળના અભાવને કારણે "જી. ડબલ્યુ ડબલ્યુ."નો પત્ર વિગતે તપાસવા નથી માગતો અને ફક્ત એમણે માગેલી માહિતી જ આપીશ. અને પછી આવતી બેઠકમાં રજૂ થનારા નવા વિધેયક અંગે એનો ઉપયોગ કરીશ.

તે સમયના ઉપ-ભારતમંત્રી મિ. કર્ઝને હિંદી વિધાનપરિષદ કાનૂન (૧૮૬૧) સુધાર વિધેયક (ઇન્ડિયા કાઉન્સિલ એકટ ૧૮૬૧ – ઍમેન્ડમેન્ટ બિલ)નું બીજું વાચન રજૂ કરતી વખતે બીજી બાબતો સાથે કહ્યું :

વિધેયકના ઉદ્દેશની સભાગૃહ આગળ ઝીણવટથી છણાવટ કરવાની હું મારી ફરજ સમજું છું. તે ઉદ્દેશ એ છે કે હિંદી સરકારના પાયાને મજબૂત બનાવવામાં આવે તથા તેનાં કાર્યોને વિસ્તૃત કરવામાં આવે, જેથી હિંદી સમાજમાંનાં બિનસરકારી અને દેશી તત્વોને સરકારી કામોમાં ભાગ લેવાની હાલ છે એના કરતાં વધુ તકો આપવામાં આવે, અને એ રીતે જયારથી ૧૮૫૮ની સાલમાં બ્રિટિશ સરકારે હિંદની સરકારનો કારભાર હાથમાં લીધો છે ત્યારથી હિંદી સમાજના ઉપલા વર્ગોમાં, રાજદ્રારી પ્રવૃત્તિ અને રાજદ્રારી કાર્યશક્તિ બંનેમાં જે ગણનાપાત્ર વિકાસ જોવામાં આવ્યો છે તેને સત્તારાહે માન્યતા આપવામાં આવે. ૧૮૬૧ના હિંદી વિધાન પરિષદ કાનૂનમાં સુધારો કરવાને માટે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. હિંદમાં ઘણા લાંબા સમયથી એક અથવા બીજા પ્રકારના કાનૂન ઘડવાના અધિકાર અસ્તિત્વમાં છે. પણ એ અધિકારો કાંઈક અસ્પષ્ટ સ્વરૂપના હતા અને તેનું કાયદેસરપણું ઊલટાસૂલટી હતું. ટયુડર અને સ્ટુઅર્ટ રાજાઓએ આપેલા અધિકારપત્રોની તારીખથી

શરૂ થઈને જૂની ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજયકાળ સાથે સાથે તે અસ્તિત્વમાં હતા. પરંતુ આધુનિક વિધાનસભાની પદ્ધતિનો આરંભ તો એ સમયે થયો હતો જ્યારે લોર્ડ કૅનિંગ