પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦૦

ગંગા–ગુર્જર વાર્તા


“તમને પંખો નાખું ?”

“ના, હવે શી જરૂર છે ?”

“તમારા પગ ચાંપું ?”

“તેનીએ શી જરૂર છે ? બેટા તેં બહુ માથું ચાંપ્યું ને પગ ચાંપ્યા છે, હવે તને શ્રમ આપું? હવે મને જે પરસેવો થાય ! આખરનો સમજવો. હવે તો માત્ર તારી સાથે બોલીશ. તારા ગુણ ગાઇશ. જ્યારથી તું મારા ઘરમાં આવીને વસી છે, ત્યારથી મારે આનંદ ને લીલાલેહેરમાં આવ્યું છે. હું તને આશિષ આપું છું સુખી થજે.”



પ્રકરણ ૧પ મું
ધણિયાણી

રત એ ઓરડાનું બારણું ઉઘડ્યું, સવાર થઇ હતી, ને પોતાના ધણીની તબીયતના સમાચાર પૂછવાને લલિતાબાઇ એકદમ ઓરડામાં આવ્યાં; તેમનું મોં તો ચઢેલું જ હતું, ને તેવામાં પોતાના ધણીના કોચ પાસે ગંગાને બેઠેલી જોઇ કે પુષ્કળ ખીજવાયાં.

પ્રભાત થતાં જ શેઠાણીના મનમાં આવ્યું કે દર્શન કરી આવું ને તેથી ઘરમાં આટલો બધો ભયંકર મંદવાડ છતાં પણ તેમનાં દર્શનમાં ખલેલ પડી નહિ. પણ જેવાં બારીયે ડોકું કરે છે કે તરત જ માલુમ પડ્યું કે દર્શન તો થઇ રહ્યાં છે. મનમાં બહુ લાગી આવ્યું. તેથી ઉઠ્યાં તેવાં જ મોહનચંદ્રના ઓરડામાં આવ્યાં માથાનાં લટિયાં આસપાસ વીખરાયલાં હતાં, એક ગંદીલું મસોતું પહેર્યું હતું, ને કાંચળી કે વગર ઉકાંચળાં જ તે ઓરડામાં પોતાના ડાકણ જેવા વેશે આવ્યા.

એક ક્ષણવાર મોહનચંદ્રે આંખ મીંચી હતી. તેવામાં બાઇસાબે ધબાક દેતું કે બારણું ઉઘાડ્યું ને પૂછ્યું:-

“ગંગી, કેમ છે ?” તિરસ્કાર બતાવતા ચેહેરાથી લલિતાબાઇ બોલ્યાં.