પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેક જ્યાં વિવેક હીન ત્યાં થકી તો છૂટવાને,
લાખવાર તેને લળી લળી પગે લાગીએ;
કહે દલપત માફ મગાવેજો ચારવાર,
ચારવાર શું હજારવાર માફ માગીએ. ૧.

મેહેરબાન, આપસાહેબ સાથે હું ઝાઝી વાત કરીશ તો, હું જાણું છું કે આપના મુખારવિંદથી ઝાઝા ટુંકારા મારે સાંભળવા પડશે. એમ કહીને તે કવિ ત્યાંથી જવા સારુ ઉભો થયો. એવામાં નરોત્તમદાસ, ગંગાબાઈ, જમનાબાઈ વગેરે કેટલાંએકનું ટોળું આવ્યું.

નરોત્તમ - કેમ કવિરાજ ઉભા થયા ?

કવિ - મેં જાણ્યું કે અહીં વિદ્યા વિલાસનનું સ્થળ હશે, પણ આ તો વાદ-વિલાસનનું સ્થળ જણાય છે. આવું જાણ્યું હોત તો હું આવત જ નહિ.

નરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે ?

કવિ -

ઇંદ્રવિજય છંદ.
ભાળિયે ભૂતનેં ભાંગ વિભૂતિજ, આસન તે વૃષભાસનનું છે;
જ્યાં પરપત્નિ વિહાર વિવેચન, ગાયન તે ગરૂડાસનનું છે;
મુંમતિ ઉંજણિ દેખિને મંદિર જાણવું જે જિનશાસનનું છે;
જ્યાં પક્ષપાત પુરો દલપત, વડુંસ્થળ વાદ વિલાસનનું છે. ૧૮.

ભાઈ, વૈદકનો ભેદ જાણ્યા વિના વૈદું કરવા ચહાય, કે તુટેલી હોડીથી તરવા ચહાય તે કદી બને નહિ.

મનહર છંદ.
હોડી તુટી હોય તોય તેમાં લે ઉતારૂઓને,
એતે ખાડીમાં ઉંડા ઉતારવા કે તારવા;
વૈદક ભણ્યાવિનાનો વૈદ બની વૈદું કરે,
એતે એનું શરીર સમારવા કે મારવા;
દ્વેષનાં વિશેષ વેણ વદીને વિવાદ માંડે,
એતે આગ ભારેલી ઉભારવા કે ભારવા;
દાખે દલપત શસ્ત્ર વિના જૈ સંગ્રામ સજે,
એતે શત્રુ સૈન્યને સંહારવા કે હારવા. ૧૯.

નરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે ?

નરોત્તમ - કોને કોને વાદ થયો, અને કોણ હાર્યું, જીત્યું ?