પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નરોત્તમ - ભયનક રસ કેટલા પ્રકારના હોય છે ?

કવિ - કર્ત્રિમ, વૈત્રાસિક, અને સહેતુક એવા ત્રણ મુખ્ય ભેદ છે. અને તેમાં અવાંતર બીજા ઘણા ભેદ છે. પણ તે નવે રસના તમામ ભેદ બીજે પ્રસંગે કહીશ. હાલ ફુરસદ નથી.

એવામાં નરોત્તમનો નહાનો ભાઈ દેવચંદ ત્યાં બેઠો હતો, તેની ઉમર ગરીબાઈ કરતાં બે ત્રણ વર્ષની વધારે હતી. ગૌરીબાઈએ તેને વચન આપેલું હતું કે હું તમારી સાથે લગ્ન કરીશ. પણ આ સમે ગૌરીનું ઘણું ડહામણ જોઈને દેવચંદે જાણ્યું કે આવી ડહામણવાળી છે તે, મને પરણશે કે નહિ, એવો સંશય આવ્યો.

એવામાં નરોત્તમે કહ્યું કે હવે દેવચંદની અને ગૌરીબાઈની પરીક્ષા લઈએ.

પછી દેવચંદને કહ્યું કે એક દોહરો કે સોરઠો તું રચી આપ જોઈએ. તને કેવી કવિતા આવડે છે ?

દેવચંદ - શા વિષે રચું ? કસુંબાના રંગ વિષે રચું ?

નરોત્તમ - હા ઠીક છે.

દેવચંદ -

સોરઠો રચ્યો.
પ્રથમ સરસ પંકાય, જલે કસુંબાની જુઓ;
જલદી ઊડી જાય, કહો રંગ શા કામનો. ૧.

નરોત્તમ - ગૌરીબાઈ, તમે કસુંબાના રંગ વિષે કાંઈ કવિતા રચી આપો જોઈએ.

ગૌરીબાઈએ જાણ્યું કે, એ સોરઠો મારા ઉપર કહ્યો, અને મારા બોલ કોલનો તેને ભરૂંસો નથી એવું જણાય છે.

પછી તેણે આ નીચે લખ્યા પ્રમાણે કવિતા રચી.

અનુઢા વક્રવિદગ્ધા નાયકા ભેદ
મનહર છંદ.

આપણા કસુંબગર કસુંબો ચઢાવે છે તે,
થોડા જ દિવસ સુધી શોભા સારી ધારે છે;
વિલોકો વોલાયતી કરીગરોની કારીગરી,
પાકા રંગે કેવાં સારાં વસ્ત્ર શણગારે છે;
ટુક ટુક થાય તો શું થાય, રંગ જાય નહિ,
એવું કોણ છે કે એના રંગને ઉતારે છે;
પુરૂષોની પાઘડીમાં કસુંબાનો કાચો રંગ,
પાકા રંગવાળી અંગ ઓઢણી અમારે છે. ૨૩

એ કવિતાથી જણાવ્યું કે આપણા દેશી લોકો બોલીને ફરી જાય છે, તેવી હું