ઘા૦— શું શું ઉપાયો છે ?
કા૦— ધુમકેતુના જપ કરવા બ્રાહ્મણ બેસાડવા, ને તેની પાસે કોટી જ૫ કરાવવા બાદ એક લાખ બ્રાહ્મણ જમાડવા, અને અનુષ્ઠાન કરવા બેસાડેલા બ્રાહ્મણોને લુગડાં, દક્ષિણા આપી વિદાય કરવા.
ઘા૦— આ સધળું કરતાં શું ખર્ચ લાગશે?
કા૦— લાખ સવા લાખ રૂપીઆ ખર્ચ થશે, અને સરકારથી કોથરુંડ, પાશાણ, પાર્વતી, વગેરે ઠેકાણે ધૂમકેતુ નિમિત્ત અનુષ્ઠાન બેસાડનાર છે, એવું મેં ફક્ત સાંભળ્યું છે.
ઘા૦— ઠીક છે, આપ સવારે આવજો. હું હમણા જમીને નાનાસાહેબના વાડામાં જાઉંછું ને તમામ હકીકત કહીને અનુષ્ઠાનનું કામ અાપ હસ્તક કરાવું છઉં.
કા૦— બહુ સારું, તે કામ આપને હાથ આવશે એટલે બધું બરાબર થશે. આ પ્રમાણે કહીને કાશીકર બાવાએ રજા લીધા. બીજે દહાડે સવારે બાવા ઘાશીરામને ઘેર આવ્યા. તે વખત કાતરેજના નળનું કામ તપાસવા સારું નીમાવલે એક ફ્રેંચ જાતનો યવન હતો, તે શિલ્પ શાસ્ત્રમાં પ્રવીણ હતો ને બીજી વિદ્યામાં પણ કુશળ હતો, તેનું નામ ફરાંસીસ હતું. તે કાંઈ કામ સારુ કોટવાલ પાસે આવ્યો હતો. તે વખત તેની રુબરુ બોલવું થયું તે:–
ઘા૦— કાશીકર બાવા! રાત્રે નાનાસાહેબની મુલાકાત થઈ નહીં. હમણાં નાહાઈને જાઉં છઉં.
કા૦— ઠીક છે, લોકોનો ઉપકાર કરવાની વાત છે, ને અરિષ્ટ ઘણું છે, તેની તો આપને કાળજી જ છે.
ફરાંસીસ— કોટવાલ સાહેબ ! કેવું દુ:ખ આવ્યું છે ?
ઘા૦— તમે કાલ રાત્રે પુછડીઓ તારો જોયો હતો કે નહીં?
ફ૦— હા. અમે જોયો છે, ને તેનું ગણિત પણ, મને માલુમ છે; પણ તેનાથી અરિષ્ટ શું થવાનું છે?
કા૦— અરિષ્ટ નહીં એમ કેમ બોલે છે ? પુંછડિઓ તારો ઉગવાથી રાજને, રાજાને તથા રૈયતને મોટું દુ:ખ થાય છે. એમ અમારા શાસ્ત્રમાં લખેલું છે, તેની શાંતિ કરવી જોઈએ. અનુષ્ઠાન તથા બ્રહ્મભોજન કરાવ્યા વિના તેની શાંતિ થતી નથી.
ફ૦— અમારા દેશમાં આગલા વખતમાં તમે જેમ કહો છો તેમ જ બધા લોક માનતા હતા; અને એકાદ પુંછડીઓ તારો ઉગે કે લોક બીહતા