પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુ ણ દો ષ : ૯૩
 


સહકાર્યને ટેકો

સહકાર્યને સરકારનો ભારે ટેકો છે. એને પ્રથમથી જ સંરક્ષણ આપવામાં આવ્યું છે – કાયદાઓ ઘડીને તેને પૂરતો ટેકો નહિ આપ્યો હોય એમ આપણે કદાચ કબૂલ કરીએ. છતાં પ્રજાએ તેનો સામનો તો કર્યો જ નથી. ઊલટું જેમ બને તેમ તેનો સ્વીકાર કરવાની સામાન્ય વૃત્તિ હરવખત બતાવ્યા કરી છે. મિ. યુબેન્ક, સર લલ્લુભાઈ, સદ્‌ગત જી. કે. દેવધર, પ્રિન્સિપાલ કાઝી, દિ. બ. ગાંધી, દિ. બ. મલજી, રા. બ. ગોવિંદભાઈ શ્રી. મણીલાલ નાણાવટી, ગતાયુ સર વિઠ્ઠલદાસ, અને શ્રી. બી. એફ. માદન જેવા કાર્યકરોનાં નામ એ ક્ષેત્રમાં સુંદર કામ કરનાર તરીકે નિદાન ગુજરાતમાં જાણીતાં છે. વ્યાપાર, નફો, વ્યાજ વગેરેથી આગળ વધી આરોગ્ય મંડળો, ગ્રામ મંડળો અને એવી એવી સામાજિક પ્રવૃત્તિઓ પણ સહકાર્યના કાર્ય પ્રદેશમાં આવી ગઈ છે. કોઈ સહકારને business–ધંધો કહે છે; કોઈ સહકારને નીતિ કહે છે; કોઈ સહકારને જીવનવિધાન કહે છે. આમ વિના સહકાર નહિ ઉદ્ધારનું સૂત્ર ચારે પાસથી સંભળાય છે.

પ્રશ્નો.

હવે આપણે થોડી અણગમતી વાત કરી લઇએ. આપણી ભૂલ જોવી અને ભૂલ સ્વીકારવી એમાં સરવાળે લાભ જ છે. પાંતરીસ વર્ષની આપણી આ પ્રવૃત્તિ. વિસ્તારમાં તે ઘણી વધી, વિચારમાં તો ઘણી વધી. પરંતુ જે ઉદ્દેશથી સહકાર્યની સ્થાપના થઈ છે એ ઉદ્દેશ બર આવ્યો છે ખરો ? આપણે આપણી જાતને નીચે પ્રમાણે થોડા પ્રશ્નો પૂછીએ :—

૧. મૂડીવાદના અનર્થો વિરુદ્ધની આ ચળવળ. મૂડીવાદના કેટલા અનર્થો સહકાર્યથી દૂર થયા ?
૨. ખેડૂત અને એના નફા વચ્ચે શાહુકાર ઘુસી જતો હતો.