પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૨

ગ્રામઉદ્યોગ

બે મત
ગ્રામઉદ્યોગ વિશે બે
પ્રકારની વિચારસરણી

ગ્રામઉદ્યોગ વિષે આજકાલ બે પ્રકારની વિચારસરણી જોવામાં આવે છે. ગ્રામઉદ્યોગો જેવી કોઈ વસ્તુ હાલ છે જ નહિ અને જે કાંઈ છે તે મૃતપ્રાય હોવાથી તેને સજીવન કરવાની જરૂર નથી. દેશની સમગ્ર વિશાળ ઔદ્યોગિક ખીલવણીમાં ગ્રામઉદ્યોગ જરૂર હશે એટલા આપોઆપ ખીલી નીકળશે. ન ખીલી નીકળે તો તેમાં હરકત નથી. મરવાને આળસે જીવતા ઉદ્યોગો ભલે મરે – તેમને જીવાડવાની જરૂર નથી. આવી એક પ્રકારની માન્યતા છે. જેને હાલ સામાજવાદો વિચારકોએ પણ યંત્રવાદી મૂડીધારીઓ સાથે ટેકો આપેલો છે.

બીજો પક્ષ એમ માને છે કે ગામડાંના ઉદ્યોગોને ટેકો આપવાથી તેઓ સજીવન થઈ શકશે અને ગ્રામજીવનની આર્થિક પુનર્ઘટનામાં એ ઉદ્યોગો બહુ મહત્ત્વનું સ્થાન લઈ શકશે. ગાંધીજી અને હિંદી સરકાર બન્ને બહુ વિચિત્ર રીતે આ પ્રશ્નમાં એકમત ધરાવે છે.