પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વચ્છતા : ૧૫૫
 


અને એ સભ્યતાના રક્ષણ સાથે સાથે જ આપણી સ્વચ્છ બનવાની બધી જ ક્રિયાઓ આરોગ્યવર્ધની બને એ પણ આપણે શીખવું જોઈએ. ગંદકી અશિષ્ટ છે એમ કરી તેનાથી ભાગવામાં આપણી શિષ્ટતા જરા ય વધતી નથી. આપણી સુગ દૂર કરી ગંદકીના નિવારણ અર્થે આપણે અંગતરીતે ઉપાયો લઈ શકીએ એટલી આવડત અને તૈયારી પણ આપણી હોવી જોઈએ. આપણા સંસ્કાર આપણને prudish - અતિ ડાહ્યા – અતિ શિષ્ટ – બનાવી ગંદકીનિવારણથી વિમુખ બનાવે એમ પણ થવું ન જોઈએ.

ગામડાં તો હજી આ સ્વચ્છતાની બાબતમાં બહુ જ પછાત છે. ગ્રામવાસીઓ સ્નાન કરે છે એ ખરું. પરંતુ એ વિધિ બહુ સુધારવાની જરૂર છે. શહેરમાં વપરાતા સાબુ ગ્રામજીવનમાં પ્રવેશે એમ આપણે ભાગ્યે જ ઈચ્છીએ. પરંતુ દેહ સમગ્રને પાણીથી સ્વચ્છ બનાવો દેહને પ્રફુલ્લતા મળે એટલું કરતાં તો ગ્રામજનતાને આવડવું જ જોઇએ.

આપણી અસ્વચ્છતા આપણા પડોશીને હાનિકર ન બનવી જોઈએ.

નિરુપયોગી તત્ત્વોના ઉત્સર્ગની ક્રિયા માટે સ્થળ મુકરર હોવાં જોઈએ, અમુક ઢબની તેમાં મર્યાદા પળાવી જોઈએ, અને તળાવ તથા નદીના પાણીને જંતુમય બનાવે એવી બેજવાબદારી ઉપર ખૂબ અંકુશ મુકાવો જોઈએ.

શહેરો અને ગામડાં

આ વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતા ઉપર હજી શહેરોએ અને શહેરવાસીઓએ પણ પૂરતું ધ્યાન આપ્યું નથી. સૂરત હજી ઘણું ગંદુ શહેર છે. અમદાવાદ થોડાં વર્ષ પહેલાં એવું જ ગંદુ હતું. સદ્‌ગત શ્રીમંત સયાજીરાવ મહારાજની કાળજીને લીધે વડોદરા સ્વચ્છતાની