પૃષ્ઠ:Gramonnati.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮ : ગ્રા મો ન્ન તિ
 


સ્ત્રીઓ સુવાવડમાં કાયમની અગર થોડા સમય માટે શક્તિ સામર્થ્યથી હીન બની નિરુપયોગી બની જાય છે. તે ઉપરાંત એક લાખ સાઠ હજાર સ્ત્રીઓ તો એ સાલમાં સુવાવડને જ લીધે મૃત્યુવશ થઈ. એમાંથી એંશી ટકા જેટલી સ્ત્રીઓ સારવાર પામી હોત તો ખરેખર બચી શકત. આમ માતાઓ પ્રત્યે અને તેમના બાળકો પ્રત્યે જનસમાજની બેદરકારી લગભગ ગુન્હાનું સ્વરૂપ ધારણ કરે છે. બચાવી શકાય છતાં જિંદગી ન બચાવીએ એ માત્ર ગુનો જ નહિ પરંતુ નિર્દયતા-ક્રૂરતા-પા૫ છે.

શિક્ષિત દાયણો

ગામડાંમાં દાયણોની પૂરતી સગવડ હોતી નથી. દાયણો હોય તો તેઓ તદ્દન અજ્ઞાન હોય. બાલજન્મ સરખી શરીરની નાજુકમાં નાજુક અને ભવ્યમાં ભવ્ય ક્રિયાનું મહત્ત્વ એને સમજાતું નથી. એટલું જ નહિ પણ અંગવિજ્ઞાનની બારાખડીનું પણ તેને ભાન હોતું નથી. સ્વચ્છતાની કીંમત એને કશી જ હોતી નથી, અને દાયણના અભાવ અને ભયંકર અજ્ઞાનને લીધે અસંખ્ય સ્ત્રીઓનાં મૃત્યુ થાય છે. દાયણનો ધંધો બહુ પવિત્ર, ઉપયોગી અને જરૂરી છે. પરંતુ એ ધંધા માટેની પાત્રતા ઘણી વધારે જોઇએ. એટલે દાયણોને શરીરવિજ્ઞાન, સુવાવડ, સ્વચ્છતા, બાળઉછેર એ સર્વ વિષયનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે.

એટલું જ નહિ. એવી શિક્ષિત દાયણોની સંખ્યા પણ ખૂબ વધારવી જોઈએ. સ્ત્રીઓને આ જમાનામાં સરખા જ હક્ક હોવા જોઈએ એ વાત સાચી. કોઈ પણ ધંધો કરવા માટે સ્ત્રીઓને છૂટ હોવી જોઇએ એ સિદ્ધાન્ત તરીકે આપણે કબુલ રાખીએ. પરંતુ સ્ત્રીઓની કુદરતપ્રેરી દેહરચના તેમને અમુક પ્રકારના ધંધા માટે વધારે પાત્રતા અર્પે છે. શિક્ષણ, વૈદક અને પરિવાર–સારવાર એ