પૃષ્ઠ:Gramonnati.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ : ૨૬૧
 


(૧૪) ભવાઈ – તુરી – રામલીલા.
(૧૫) નટ – મદારી - ચામખેડા – પૂતળીઓના ખેલ કરનારા,
સ્વર્ગાનિસરણી બતાવનારા, બહુરૂપી જેવા મનરંજન
કરનારા ધંધાદારીઓ.
(૧૬) રાવણાં – કસુંબા – દાયરા.
(૧૭) લગ્નક્રિયા.
(૧૮) ભૂવા.

આ બધી વિગતો ગ્રામજનતાનું આખું માનસ સમજવા માટે જરૂરની છે. પ્રદર્શનમાં તેમને યોગ્ય રીતે ગોઠવીને આપણે ગ્રામજીવન તરફનો ઘટતો જતો રસ વધારી શકીએ એમ છે – દેખાવ પૂરતા રસને સાચો બનાવી શકીએ એમ છે. અલબત્ત ખેતીના પાક, ઓજાર અને જાનવર એ તો પ્રદર્શનમાં મુકાય છે તેમ મુકાવાં જ જોઇએ.

જે તે વિભાગના ઈતિહાસ - પ્રાચીન તેમ જ ચાલુ - ને પણ ગ્રામજીવનના પ્રદર્શનમાં યોજી શકાય, અને ગ્રામ અભિમાન પ્રફુલ્લિત થાય એવા સ્થાનિક પ્રસંગો અને બનાવોને પણ તેમાં સ્થાન આપી શકાય.