પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુજ સ્વામી સાચા
૯૮
 


આખરી ઉપાય તરીકે પિતાએ પુત્રીને કહ્યું :

‘અમે તને પ્રાર્થના કરીએ છીએ...’

‘પ્રાર્થના તો હું પ્રમોદકુમાર માટે કરી રહી છું.’

‘શું?’

‘કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ’

સાંભળીને સર ભગન ઠંડાગાર થઈ ગયા.

નીચેથી પ્રકાશશેઠનો બરાડો સંભળાયો :

‘સર ભગન ! હજી કેટલી વાર શુભ ચોગડિયું વીતી જાય છે.’