પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


પ્રકાશજૂથ ડૂલ થાય તો એથી ભગનજૂથને પણ ધક્કો લાગે એમ હતો. તેથી સર ભગનની ચિંતા બેવડી બની ગઈ. એક તો, માંડ કરીને થાળે પડવા આવેલું તિલોત્તમાનું વેવિશાળ વિઘ્નમાં આવી પડતું હતું. અને વળી માથેથી પોતાનાં ઔદ્યોગિક સાહસોને આર્થિક ઘા ખમવો પડતો હતો એ અદકલહાણમાં.

પ્રકાશશેઠે પાઘડી ફેરવવાથી નાણાંબજાર નરમ પડવા છતાં અફવાઓના બજારમાં અસાધારણ ઉછાળો આવ્યો હતો. સર ભગનના ટેલિફોનનાં દોરડાં સતત ધ્રૂજી રહ્યાં હતાં.

‘પ્રકાશશેઠનો પત્તો જ નથી.’

‘કહે છે કે સૂઈ ગામની સરહદેથી ઊંટ પર બેસીને પાકિસ્તાનમાં ઊતરી ગયા છે, એટલે હવે કોઈ લેણદાર ત્યાં સુધી પહોંચી જ શકે નહિ.’

‘ખોટી વાત. પ્રકાશશેઠ પોતાના બંગલામાં જ છે, પણ જાજરૂમાં છુપાઈ રહ્યા છે. અને ત્યાં બેઠે ખાનગી ટેલિફોનથી બધો વહેવાર કરી રહ્યા છે.’

‘એ પણ ખોટી વાત છે. પ્રકાશશેઠની ધરપકડનું વૉરન્ટ લાવનાર સાર્જન્ટને જ શેઠે એક લાખ રૂપિયાની કડકડતી લીલી નોટો પકડાવી દીધી. વૉરન્ટમાં પ્રકાશચંદ્ર લખેલું ત્યાં સુધારીને પ્રકાશમલ્લ કરી નાખ્યું, અને શેઠની ભેંસોના તબેલાવાળા ભૈયાજી પ્રકાશમલ્લને લૉકઅપમાં ધકેલી દીધો. શેઠ વતી એમનો ભૈયો જેલ ભોગવ્યા કરશે.’

આવુંઆવું સાંભળીને સર ભગનનો જીવ હાથ નહોતો રહેતો.

‘શું અત્યારે જ જાઉં પ્રકાશશેઠને મળવા !’

‘ખબરદાર !’ લેડી જકલ આડાં ઊતર્યાં. ‘અત્યારે દીવાનખંડનો ઉંબર ઓળંગે એને મારી આણ છે.’

રામવનવાસ વેળા પર્ણકુટીને ઉંબરે સીતાજીને જે શિસ્તભાવનાથી આ આણ અનુલ્લંઘનીય ગણવી પડતી એવી જ શિસ્તબુદ્ધિથી