પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના વિકાસના એક અંગ તરીકે અત્યાર પહેલાં 'ગઝલ' સંબંધે પ્રમાણમાં જે થોડું ઘણું લખાયું છે, તે જોતાં તેમાં વિશેષ ઉમેરો કરવાને કાંઈ અવકાશ ભાગ્યે જ રહ્યો હોય.

સ્વ. બાલાશંકર કંથારિયાએ મૂળ ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જાતે કવિ હતા, એટલે ફારસી ભાષામાં 'ગઝલ' શેને કહેતા, 'ગઝલ’નું વસ્તુ શું, તે પોતે બરાબર સમજી ગયા હતા, અને તેથી 'ગઝલ’ સારી રીતે અને વિના ભૂલે લખી શકતા હતા. સ્વ. ઠક્કર નારાયણ વિસનજીનો ફારસી સાહિત્યનો અભ્યાસ ગાઢ અને વિસ્તૃત હતો, તેથી તેઓ પણ 'ગઝલ' એટલે શું તે બરાબર સમજતા હતા. ગુજરાતી ભાષામાં લખાતી 'ગઝલો' કેવા લેભાગુ પ્રકારની હતી તે તેઓ સમજી શકતા હતા અને તેવા લેભાગુ લેખકોને ચાબખા મારતા હતા.

આ પ્રસ્તાવનાના લેખકે પણ વારંવાર ગુજરાતીમાં લખાતી ગઝલોમાં તેની મૂળ વસ્તુની જોડેની અસંબદ્ધતા વિશે જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે ધ્યાન ખેંચ્યું છે.

કેટલાએક ખાસ અપવાદો સિવાય ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સાહિત્ય ખોડખાંપણ અને ઊણપથી ભરેલું છે; તેનાં કારણ છે. 'ગઝલ' રાજકીય કારણે મૂળ અરબ્બી ભાષામાં લખાતી, ત્યાંથી તે ફારસી યા ઈરાની ભાષામાં આવી અને ત્યાંથી આવી તે જ કારણે હિંદુસ્તાનની ઉર્દૂ ભાષામાં. ઉર્દૂ ભાષામાં ફારસી શબ્દોનો ભારેભાર ઉપયોગ થતો હોવાને લીધે તેમજ ઉર્દૂ ભાષાના લેખકોને મૂળ ફારસી સાહિત્યનો અભ્યાસ હોવાને લીધે તેઓ 'ગઝલ'ની રચના, તેના વસ્તુ, તેની ભાવના વગેરેને પૂર્ણ પણે સાચવી શક્યા. ગુજરાતી ભાષામાં તેનો અભાવ હોવાથી, તેમાંનું કશું જ સાચવી શકાયું નહિ અને ગુજરાતી