પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન

ખંડ 1

[પહેલી આવૃત્તિ]

બેએક વર્ષ પર વડોદરાની વાર્ષિક વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ લેખે મારો અને મુનિશ્રી જિનવિજયજીનો ત્યાં ભેટો થયો હતો, ત્યારે તેમણે મારા હાથમાં કેટલાએક નવા ગ્રંથો મૂક્યા હતા. આ ગ્રંથો શાંતિનિકેતનના વિશ્વભારતીની શ્રી સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી મુનિજીએ સંશોધિત-સંપાદિત કરેલા પ્રાચીન સંસ્કૃત પ્રબંધોના સંગ્રહો હતા. મુનિશ્રીની સમજણ એવી હતી કે એ ગ્રંથમાલાના ગ્રંથોની નોંધ મારે 'જન્મભૂમિ'ની 'કલમ-કિતાબ'ની કટારોમાં લેવાની છે.

વિવેચનક્ષેત્રમાં ફક્ત પાંચ જ વર્ષની પગલીઓ માંડતા મારા જેવા અલ્પજ્ઞને એક સુખ્યાત વિદ્વાનનાં આવાં મૌલિક સંપાદનો સમીક્ષા લેવા મળે, એ મોટું માન મળ્યા બરોબર હતું. ઘેર આવી મેં હોંશે હોંશે આ ગ્રંથોનાં પાનાં ફેરવ્યાં. પરંતુ, મારા મગજની સ્થિતિ તુંબડીમાં કાંકરા ભરાયા જેવી થઈ.

સંસ્કૃત સાહિત્યનાં છેલ્લાં દર્શન તો મેં 1917ના ઉનાળામાં જે દિવસે મુંબઈ યુનિવર્સિટીનો બી.એ.નો સંસ્કૃત પ્રશ્નપત્ર પતાવ્યો હતો તે દિવસે જ કર્યા હતાં. તે પછીના સદંતર અ-દર્શને મારા સંસ્કૃત જ્ઞાનને ઓલવી નાખ્યું હતું. અનુવાદ વગરના આ સંસ્કૃત પ્રબંધપાઠમાં ચંચુપાત કરવાની મારી અશક્તિ કબૂલી લઈને મેં એ મૂલ્યવાન ગ્રંથોનો માત્ર “સ્વીકાર નોંધીને જ “કલમ-કિતાબમાં પતાવ્યું, ને મેં માની લીધું કે આટલેથી જ આ ભેંસ આગળનું ભાગવત ખતમ થયું!

તે પછી છેક ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં મારો ને મુનિશ્રીનો મેળાપ માટુંગામાં એમના નિવાસસ્થાને થયો.

કોણ જાણે કેટલાયે ઊંચા નંબરના ચશ્માં ચડાવીને આ વિદ્વાન ઝીણાં ઝીણાં પ્રૂફ છેક આંખો પાસે માંડીને તપાસતા હતા. બારી સામે સૂર્ય ઊગતો હતો. બીજે ક્યાંય મેં કદી ન દીઠેલું એવું એક નવી રચનાનું મેજ તેમની છાતી સુધી પહોંચતું હતું. મેં પૂછ્યું: “આ ટેબલની રચના કઈ જાતની?”

"શું કરું, ભાઈ!” એમણે કહ્યું, “આંખોનાં જળ ઊંડાં ગયાં છે. સૂર્ય જેમ