પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
ગુહ્યાગારનો દરવાજો.

“ત્યારે તો હું જો તને હમણાં એમ કહું કે જેને દુનીયાં કેવલ ગંધર્વનગર કે પેટ ભરવાનો ઢોંગ જાણે છે તે ગુપ્તવિદ્યામાં તને પ્રવેશ કરાવું, કે વાયુલોક અને અગ્નિલોકના સત્ત્વનું ચાલન કરવાની ક્રિયા તારા હાથમાં આપું, કે નદી કિનારે કાંકરા ભેગા કરવા કરતાં પણ સહેલી રીતે દ્રવ્ય ભેગું કરવાની કળ તારા આગળ ખોલું, કે જે અકસીરથી યુગેયુગ માણસનું જીવિત અનામય ચાલ્યું જાય છે તે તને ગાળી બતાવું, કે જે આકર્ષણથી માણસ એક એકને ખેંચી શકે છે, વા ભયનું નિવારણ કરી સર્વને વશ કરી શકે છે, તેનો મંત્ર તારા આગળ કહી બતાવું;—તો હું જે કહું તે તું માને, અને શંકા વિના મારા કહ્યા પ્રમાણે કરે ! રે સ્થૂલપરાયણ મનુષ્ય ! સ્થૂલની પાર જેની શ્રદ્ધા પહોંચી શકતી નથી તે કશા કામને લાયક નથી.”

“ખરી વાત છે; હું બાલક હતો તે વેળે સાંભળેલી વાતોથી આવી વાતોનું સમાધાન કરી શકું. અમારા કુટુંબમાં એવી વાત–”

“તારો એક પૂર્વજ જે યોગિરાજોની વિદ્યાનાં રહસ્ય શોધવા મથતો, તેની—”

લાલો આશ્ચર્ય પામી બોલ્યો “અમારા જેવા અંધારામાં પડેલા નાના કુટુંબની વંશાવળી પણ તમને ખબર છે !”

“જે માણસ જ્ઞાનને શોધે છે, તેનાથી, તેજ માર્ગે જનાર તુચ્છમાં તુચ્છ અભ્યાસીની વાત પણ અજાણી ન હોવી જોઈએ. તારા ભવિષ્ય પર મને આટલી મમતા થવાનું કારણ તું પૂછે છે, તો જાણ કે એક એવો મહાત્માઓનો સમાજ છે જેના નિયમો અને ક્રિયાઓ મહોટા પંડિતોના હાથમાં પણ આવ્યાં નથી. એ સમાજનોને એવો નિયમ છે કે તેમના માર્ગની વિદ્યા જેણે ઉપાસી હોય, ને તે કદાપિ નિષ્ફલ પણ થયો હોય, તથાપિ તેના વંશનાં માણસોને યોગ્ય ઉત્તેજન તથા શીખામણ આપતા રહેવું. नतस्याब्रह्मवित्कुलेभवति એવાને કુલમાં અબ્રહ્મવિત્ કોઈ જન્મતોજ નથી એમ ઉપનિષદો જે કહે છે તે યથાર્થ કહે છે. એ સમાજ એવા સર્વને માર્ગ દર્શાવે છે એટલુંજ નહિ પણ જો ઈચ્છા હોય અને તે અમને આજ્ઞા કરે તો અમે તેને અમારા ચેલા તરીકે લેવાને પણ બંધાયેલા છીએ. એ સમાજમાંનો હું એક રડ્યો ખડ્યો અહીં ઉભો છું. આજ કારણથી હું મૂલથી તારી પાછળ ફર્યાં કરું છું.”

“એમજ હોય તો જે નિયમો તું પાલતો હોય તે નિયમોની આણ દઈ