પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
ગુલાબસિંહ.

એ ગૃહસ્થનું નામ સાંભળ્યું છે. લાલાજી આપણી સાથે આવી બેસે એવીજ મારી ઈચ્છા છે તો તમે એટલી મારી યાચના માન્ય રાખશો ?”

ગુલાબસિંહે કાંઈ બોલ્યા સિવાય માત્ર નમનતાઈથી ડોકું નમાવી આજ્ઞા માથે ચઢાવી, અને નોકરને કાંઈ સમજાવી પાછો મોકલ્યો. લાલાજીને માટે ગુલાબસિંહની પાસેજ થાળ ગોઠવ્યો અને આસન મંડાવ્યું. લાલાજી આવીને સર્વને રામરામ કરી બેઠો કે તુરતજ અમીરે કહ્યું “ભાઈ ! તમે આવ્યા તેથી મને બહુ સંતોષ થયો. મારા ઉપર ઉપકાર થયો. મને આશા છે કે તમારે જે કામ છે તે ખુશીના સમાચારનુંજ હશે, નહિ તો હું માંગી લઉં છું કે હાલ કાંઈ બોલતા ના.” લાલાજી આવેશમાં ને આવેશમાં બોલવા જતો હતો પણ ગુલાબસિંહે એને અટકાવ્યો અને વાત ઉડાવી, લાલાજીને કહ્યું “ફીકર નહિ, હાલ તુરત જે થાય તે જોયાં કરો, કામની વાત કામે છે.”

લાલાજી વાત સમજ્યો, અને તેથી આડી અવળી વાતો ચાલવા માંડી તે વખત ધીમેથી ગુલાબસિંહને પૂછવા લાગ્યો “ત્યારે તમે જાણોછો કે જેને તમે બચાવવાની શક્તિ ધરાવવાનું અભિમાન રાખતા હતા તે મા—”

“અત્યારે અહીંઆં છે, હા અહીંઆં છે. હું એથી વિશેષ પણ જાણું છું કે આપણું યજમાનના જમણા હાથ પર અત્યારે યમદૂત આવી બેઠો છે. પણ એનું અને એ અબલાનું ભાગ્ય આ ક્ષણથીજ કેવલ જુદું પડી ગયેલું છે; અને જે આરસીમાંથી મને તે ભાગ્યનું દર્શન થાય છે તે આરસી રુધિરમાં નહવાઈ ગયેલી છે. શાન્ત થા, તે પાપનો ઘડો કેમ ફૂટે છે તે જોયાં કર.” આ વાત થઈ રહ્યા પછી ગુલાબસિંહે ઉચ્ચ સ્વરે કહ્યું “મિત્રો ! મારા મિત્રે મને જે ખબર આપી છે તે પ્રમાણે મારે દિલ્હીથી કાલેજ જવું પડશે, માટે આજે જેટલી થાય તેટલી મઝા કરી લેવી.”

અમારે અધીરા થઈ પૂછ્યું “એવું તે શું છે ?”

“મને સંપૂર્ણ પ્રીતિથી ચહાનાર એક પરમ મિત્રનું પાસે આવતું મરણ. પણ એ વાત જવા દો; શોક કરવાથી કાંઈ વળવાનું નથી; રકાબીમાં મૂકેલાં ફૂલમાંથી કરમાઈ જતાં ફૂલોને કાઢી નાખી તે બદલ તાજા ગોઠવીએ છીએ તેવુંજ આ સંસારના સ્નેહનું છે.”

“એ તો ખરું બ્રહ્મજ્ઞાન !” અમીરે કહ્યું “મારો પણ એજ નિશ્ચય