પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
રહસ્ય શીખવાની શાલા.



ચતુર્થ તરંગ.

પ્રકરણ ૧ લું.

રહસ્ય શીખવાની શાલા.

લાલાજીને ગુરુને સ્વાધીન કરી ગુલાબસિંહના ગયા પછી આશરે એકાદ મહીનો થઈ ગયો હતો; બે પરદેશી મુસાફર દિલ્હીમાં બજારને નાકે ઉભા હતા. એક જણે બહુ આવેશ અને આગ્રહથી કહ્યું “તારામાં જો એક છાંટો પણ અક્ક્લ હોય, જરા પણ ડહાપણ હોય, તો મારી સાથે યપુર ચાલ, આ ત્સ્યેન્દ્ર છે તે ગુલાબસિંહને માથે ચપટી ભભરાવે તેવો છે. એનાં બધાં વચનનો અર્થ શો થાય છે ? તું પોતે પણ કબુલ કરે છે કે એમાંથી કશો નિશ્ચય સમજાતો નથી. તે કહે છે કે એ દિલ્હીથી ગયો છે, એણે હિમાલયમાં એકાદ વધારે શાન્ત અને એકાન્ત સ્થલ નક્કી કર્યું છે. પણ તને ખબર નથી કે એ ભૂતીયાના પ્રદેશમાં કેવા લોક વસે છે ? તારૂં માથું તારા ધડ ઉપર રહેવા દેઈને તારાં લુગડાં ઉતારી લે ત્યાં સુધી હરકત નથી, પણ આ તો તેના એ વાંધા છે. સિદ્ધનો આશ્રમ એવા પડોશમાંજ હોય ! મને તારે માટે બહુ લાગે છે. કોણે કહ્યું કે એ તારો એ બાવો ચોર લોકોનો નાયક નહિ હોય ? ને તેને ત્યાં ફસાવ્યા પછી, તારું સર્વસ્વ કઢાવ્યા વિના તને જવા દેશે ? તને ક્રોધ આવે છે, પણ આ બધો વિચાર રહેવા દે — તું તારે રસ્તેજ વિચાર કરીને તો જો. ત્સ્યેન્દ્ર પોતે પણ જેને સરલ કે સુખકર ગણતો નથી એવી એકાદ સાધના તારે કરવાની છે; ફલ મળે કે ન મળે; ન મળે તે તને વિકટમાં વિકટ પીડા પેદા થાય; મળે તો તેં જેને તારો ગુરુ કર્યો છે તેવા ટાઢા અને નીરસ દૂબળા જેવી તારી દશા થાય ! વાહરે સિદ્ધ ! થયો, થયો તું સિદ્ધ ! જવા દે એ ગાંડાબળ અને જીવે છે ત્યાં સુધી મોજ કર. મારી સાથે યપુર ચાલ, એક મા ગઈ તે એવી બીજી બે તને પરણાવું, તારો ધંધો કર, પૈસા મેળવ, ને નામ કાઢ. હું તો આ બધું મિત્રભાવે કહું છું, પણ મિત્રભાવ જે કહે છે તે તારા ગુરુનાં વચન કરતાં તો વધારે આશા ભરેલું ને સુખવાળું જણાય છે.”

રામલાલ ! મારી ઈચ્છા હોય તો પણ હું તારા કહ્યા પ્રમાણે કરવા