પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
ગુલાબસિંહ.

“ખરી વાત છે. મને કોઈ શત્રુ આપણા નજીક લપાતો લપાતો આવતો હોય એમ લાગે છે.”

“અને તારી પ્રેરણાથી તને જે ભાન થયું છે તે ખોટું નથી, એક શત્રુ ખરેખર સમીપજ છે. આ ભારે હવામાંથી મને તે જણાય છે: આ શાન્તિમાં મને તેના ભણકારા વાગે છે: એ મહાપિશાચ ! સર્વ સહારક ! — મહામારિ ! જો, જો, આંખ ખેંચીને નજર કર, વૃક્ષોનાં પત્ર અસંખ્ય જીવથી ઉભરાઈ ગયાં છે – એવી મહામારિને પગલે પગલેજ એ જનારાં છે.” આ પ્રમાણે ગુલાબસિંહ કહેતો હતો એટલામાંજ એક પક્ષી વૃક્ષ ઉપસ્થી માના પગ આગળ ગબડી પડ્યું, જરા ફફડ્યું, ક્ષણ વાર તરફડ્યું, ને મરી ગયું.

“અરે ! મા !” ગુલાબસિંહે નિઃશ્વાસ નાખી બહુ આગ્રહયુક્ત આવેશથી કહ્યું “જોયું, આનું મરણ ! તને એનું ભય નથી લાગતું ?”

“તારાથી એ મને જુદી પાડે માટે લાગે છેજ.”

“ને હું તને મરણની સામા થવાનો ઉપાય બતાવું તો ? તારા યૌવન ઉપર કાલની અસર ન થાય એવું કરૂં તો ? જો હું —”

ગુલાબસિંહ અધવચ અટકી પડ્યો, કેમકે માની આંખો ભયથી ફાટી ગઈ હતી, એના ગાલ અને અધર ફીકા પડી ગયા હતા. જે દિવ્ય યોગબલથી આવી સિદ્ધિઓ આવે છે તેને મા લગારે સમજતી ન હતી. તે તો એમ જ જાણતી હતી કે ભૂત પ્રેત મંત્ર યંત્ર જાદુ વિના કોઈ પણ સિદ્ધિ કે ચમત્કાર થતો નથી; અને મંત્ર તંત્રાદિકને ઉપાસનારાની અધોગતિજ થાય છે. એણે એમ પણ સાંભળ્યું હતું કે બાલકોના આત્માને પોતાને વશ કરી અનેક જાદુગરો મહોટી મહોટી સિદ્ધિઓ મેળવે છે, પોતાના પતિ ઉપર આવા કુતર્કોને લીધે માને અવિશ્વાસ થઈ આવ્યો; પોતાના કોમલ બાલકના ભાવિ વિષેનું ભય પેદા થઈ આવ્યું.

“એવું મા બોલ, આવી આકૃતિ ન ધારણ કર ” મા ગુલાબસિંહથી જરા દૂર ખશી બોલી “મને બહુ ભય લાગે છે. ના, ના, એમ મા બોલ; મને થરકારો વછૂટે છે, મારે માટે નહિ પણ તારા સંતાનને માટે.”

“સંતાન ! પણ શું તું તે સંતાનને પણ એની એ ભવ્ય બક્ષિસ નહિ લેવા દે ?”

ગુલાબસિંહ !”