આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હિન્દ સ્વરાજ |
ચર્ચવા માગતો. મારે તો તમારા સવાલનો જવાબ આપવો રહ્યો છે. તે હું તમને જ કેટલાય સવાલ પૂછીને સારી રીતે આપી શકું. તેટલા જ સારુ કંઈક સવાલો પૂછું છું. આપણે અંગ્રેજને શા સારુ કાઢવા માગીએ છીએ?
वाचक :
કેમ કે તેઓના રાજકારભારથી દેશ કંગાલ થતો જાય છે. તેઓ દર વરસે દેશમાંથી પૈસા લઈ જાય છે. તેઓ પોતાની જ ચામડીના માણસને મોટા હોદ્દા આપે છે. આપણને માત્ર ગુલામીમાં રાખે છે, આપણી તરફ ઉદ્ધતાઈથી વર્તે છે. ને આપણી કશી દરકાર નથી કરતા.
अधिपति :
જો તેઓ પૈસા બહાર ન લઈ જાય, નમ્ર બને અને આપણને મોટા હોદ્દા આપે તો કંઈ તેઓના રહેવાથી અડચણ તમે માનો છો ખરા?