પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુભાષિતો

ઇશુએ વાપરેલાં નીચેનાં સુભાષિતો અને દૃષ્ટાંતો યુરોપની ભાષાઓમાં તુલસીદાસની ચોપાઈઓ અને દોહરાઓની જેમ પ્રસરી ગયાં છે.

જૂના કપડા પર નવા કપડાનું થીગડું ન દેવાય; કારાણ કે તેથી જૂના પર વધારે ખેંચ પડે અને વધારે ચિરાય.

તેમ જ જૂના (ચામડાના) ઘાડવામાં નવો દ્રાક્ષાસવ ન ભરાય; કારણ કે તેથી ઘાડવો ફાટે અને આસવ ઢોળાઈ જાય.

* * *

ઈશ્વર જે જ્ઞાન મોટાઓથી સંતાડે છે, તે બાળકોને આપે છે.

* * *

રાજ્યમાં ફૂટ હોય તો રાજ્ય નાશ પામે, નગરમાં હોય તો નગર, કુટુંબમાં હોય તો કુટુંબ.

સેતાન દ્વારા સેતાનિયતનો નાશ ન થઈ શકે.

* * *

જે ઈશ્વરનો નથી, તે તેનો વિરોધી જ કહેવાય. જે સાથે રહી લણવામાં ભળતો નથી, તે ધાન્યને રગદોળનારો જ ગણાય

* * *