પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬

ઈશુ ખ્રિસ્ત

મીઠું જ મોળું થાય તો તેને શાથી સુધારાય? તેમ મુખ્ય માણસો જ મોળા પડે તો શું કરી શકાય?

* * *

સંત પોતાના ઘરમાં પૂજાતો નથી.

* * *

ભાવાનની ઇચ્છા હોય તો નકામો ગણાયેલો પથરો મંદિરને શિખરે જઈ ચડે છે.

* * *

સમૃદ્ધિમાંથી આપેલું દાન તંગીમાંથી આપેલા દાન આગળ નજીવું છે.

* * *

ઈશ્વરને ત્યાં શ્રેષ્ઠ અને તે જ આગેવાન જેની પરિચર્યા અને સેવા સૌથી વધારે.

* * *

(એક માણસે પોતાના ઘરની વ્યવસ્થા કરી આવી પછી ઈશુના સાથી થવા ઇચ્છા દર્શાવી. તેને ઈશુએ કહ્યું-_ હળ પર હાથ મૂક્યા પછી જે પાછું વળીને જુએ, તે ઈશ્વરના ધામનો અધિકારી થઈ શકતો નથી.

* * *

ભણેલા અને ડાહ્યાઓથી ઈશ્વર જે સંતાડે છે, તે બાળકોને દેખાડે છે.

* * *

દીકરો રોટી માગે તો કયો બાપ તેને પથરો આપશે? અથવા માછલી માગે તો સાપ આપશે? અને ઈંડું માગે તો