પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯

પ્રવૃત્તિ

નોંધ

ईश्वरनो पुत्र - ઈશુ પોતાને ઈશ્વરપુત્ર તથા માનવપુત્ર એવી બે તરીતે વર્ણવતો. શબ્દ-સેવી ખ્રિસ્તીઓ માને છે કે ઈશુ પરમેશ્વરનો એકનો એક પેટનો દીકરો હોઈ, તેનો અભિષિક્ત (ખ્રિસ્ત, કે મેસાયાહ) યુવરાજ હતો. આવી શ્રદ્ધા ન ધરાવવી, એમની દૃષ્ટિએ ઈશુ વિષે અનિષ્ઠા ગણાય. સ્થૂળ દૃષ્ટિએ તે માનવપુત્ર પણ હતો. યહૂદી તથા ઇસ્લામને આ શબ્દાર્થ માન્ય નથી. અને તે સ્વાભાવિક છે. એ માન્યતા પરમેશ્વરના સ્વરૂપ વિષે અજ્ઞાન સૂચવનારી છે. ભાવાર્થ સેવી ખ્રિસ્તીઓ પુત્રનો અર્થ પ્રતિનિધિ કરે છે. જૂના કરારમાં (બાઈબલના યહૂદી માન્ય ભાગમાં) પુત્રનો આવો અર્થ કરવા માટે આધાર મળે છે, એમ મને ખ્રિસ્તી વિદ્વાનો કહે છે. તે રીતે એ ઈશ્વરનો દુનિયા પરનો પ્રતિનિધિ હતો, અને માનવજાતિનોયે પ્રતિનિધિ (એટલે આદર્શ મનુષ્ય) હતો, એવો એ બે ઉપાધિઓનો અર્થ થાય.