પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬

ઈશુ ખ્રિસ્ત

सूबा पासे रवानगी

આ સભાને દેહાંતદંડ કરવાની સત્તા નહોતી. પણ એ દેહાંતદંડને યોગ્ય છે એવું ઠરાવી, એ ઈશુને સૂબા કને મોકલી શકતા હતા. વળી, પેસાહ પર્વની શરૂઆતને દિવસે યહૂદીઓ પોતે નરહિંસા કરવા ખુશી નહોતા, માટે રોમન સૂબાની મારફતે પરભારું ઈશુનું નિકંદન થાય તો સ્મૃતિની આજ્ઞા પળે એવી પણ ઇચ્છા રહી હતી. આ વિચારથી એકોતેરીએ ઇશુને બાંધીને સૂબા પાસે મોકલી દીધો. એને ઘેર પહોંચતાં સુધી રસ્તામાં ઈશુ ઉપર અત્યંત નિર્દય વર્તન ચલાવવામાં આવ્યું.


સંસ્કાર જીવન પર્યંત કનડ્યા કરે છે, અને તેથી એનું ચિત્ત શુદ્ધ થયું હોય તો પણ એનું ઘણું તેજ પડતું નથી. આનો અર્થ એ નથી કે પાશ્ચાતાપની કિંમત નથી, કે એ નિયમને અપવાદ ન હોય. જે વિષયમાં પોતાને હાથે પોતાની સત્ત્વહાનિ થઈ ગઈ હોય તે વિષયમાં સર્વ કષ્ઠો અને પ્રાણની પણ દરકાર રાખ્યા વિના પાછું સત્ત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય તો પણ વળી શુદ્ધ સત્ત્વ ઝળકી ઊઠે. જેટલો મલિનતાનો ભેગ થયો હોય તેટલો એને બળવાને બળવાન તાપ જોઈએ. સત્ત્વને પાછું પ્રાપ્ત કરવાની તીવ્ર પ્રવૃત્તિ એ જ એનું પ્રાયશ્ચિત. જેમણે પોતાના જીવનમાં કદી સત્ત્વ ખોયું નથી તે મહાપુરુષોને ધન્ય છે! ભયથી, કાયરતાથી, ખોટું છે એવું ભાન હોય, કરતી વેળાએ જ અન્તહઃકરણનો પોકાર સામે ઊઠતો હોય છતાં માનસિક નિર્બળતાને વશ થઈ કરવામાં આવેલું કર્મ સત્ત્વને હાનિ પહોંચાડનારું છે.

પિટરમાં પણ એને સત્ત્વહાનિની નિર્બળતા જીવન પર્યંત ટકી રહી હતી.