પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૃઢ બંધનોને તોડી નાંખીને સમાજને ત્હેના પાશમાંથી મુક્ત કરવાનો સંગ્રામ આજ દિન સુધી ચલાવી રહ્યા છે. કન્યા કેળવણીનો પ્રચાર, બાળ લગ્ન અને બહુ વિવાહનો નિષેધ, વિધવાઓનાં દુઃખ નિવારણ, અનાથ બાળકોનું સંરક્ષણ, હીણતા અને તરછોડાતા અંત્યજો તથા પતિતોનો ઉદ્ધાર, માદક પદાર્થોનો નિષેધ, અને નીતિના શિક્ષણ પ્રચાર આદિ સામાજીક સુધારાના પ્રત્યેક વિષયને માટે તેઓ તનમન અને ધનથી સ્વાત્મ ભોગ આપીને પ્રયત્ન કરી રહ્યા છે. પંઢરપુરનું બાળાશ્રમ, અમદાવાદનાં અનાથાશ્રમ અને ગુ. વ. સોસાઈટી વગેરે સંસ્થાઓ રા. બા. લાલશંકરભાઈની કાર્ય દક્ષતાનાં જાજ્વલ્યમાન સ્મારક રૂપ છે, આ સર્વ ઉપરાંત વિદ્યાસાગરની માફક સાદો અને દેશી ઢબનો પોશાક, સ્વભાવની સરળતા, પોતાનાથી વિરૂદ્ધ મત ધરાવતા મનુષ્ય પ્રત્યે સદ્ભાવ તથા ત્હેમનાં શ્રદ્ધા અને વિશ્વાસ સંપાદન કરવાની યોગ્યતા આદિ ગુણો ગુજરાતના ઉછરતા સુધારકોએ તેમની પાસેથી શિખવા યોગ્ય છે.

આ પ્રસંગે છે હું બા. લલ્શંકરનેને ઘણીજ નમ્રતા પૂર્વક એક સૂચના કરવાનું સાહસ કરૂંછું. રા. બા. લાલશંકર ગુજરાતના વિદ્યમાન સુધારકોમાં સૌથી જૂનામાંના એક છે. પેતાની બાલ્યાવસ્થાથી તે આજ પ્રયત્ન ગુજરાતની સંસાર દુધારાની પ્રત્યેક હિલચાલમાં તેઓ એટલો બધો આગળ પડતો ભાગ લેતા આવ્યછે કે ગુજરાતનાં સંસાર સુધારાનો વર્તમાન ઇતિહાસ તે રાવબહાદુરના ચરિત્રનો ઇતિહાસ છે એમ કહીએ ત્પ્ ચાલી કે એમ છે. શ્રદ્ધેય પંડિતશિવનાથ શાસ્ત્રીએ સ્ત્રીએ બંગાળના સામાજીક સુધારાનો ઇતિહાસ લખીને બંગાળી પ્રજાને જેવી રીતે ઉપકૃત કરી છે, તેવી જ રીતે રા. બા. લાલશંકરભાઈ ગુજરાતના સંસાર સુધારાનો ઇતિહાસ લખવાની તસ્દી લેશે તો ગુજરાતી પ્રજા ત્હેમની ચિરકાળને માટે ઋણી થશે. આગલા યુગના સુધારકો આપણે માટે શું શું કરી ગયા છે, ત્હેમને શી હતી અડચણો નડીછે, ત્હેમની ફતેહો અને ઠોકરો ઉપરથી આપણે શો બોધ લેવાનો છે તથા ભવિષ્યમાં