આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩
જયા-જયન્ત
- વનવનનાં તીર્થ ભમ્યાં, ને
- સૌ પુણ્યોદકે પાવન થયાં છો.
રાજરાણી : પણ આ મ્હારી હૈયાહાર,
- જગમાંની એકાકી જીવનદોરી,
- સુખ ન પામે, સંન્યસ્ત લે,
- હૈયું ફાટે છે એ નિરખીને તો.
જયા : માતા ! ત્હારે મ્હને સુખથી શણગારવી છે ને ?
- મ્હારે સુખનો શણગાર છે સંન્યસ્ત.
- તું રડ માઃ સંસારમાં સુખ છે,
- પણ તે પલકદરિયાવ.
- આટઆટલી તીર્થયાત્રામાં યે
- ન દીઠા ત્હેં સંન્યાસનાં અક્ષય્ય સુખ ?
ગિરિરાજ : દંડવત્ કરી ક્ષમા પ્રાર્થે છે
- જયા ! ત્હારો પિતા
- મ્હારા રાજમદની અગ્નિજ્વાલામાં
- તું કુમારીનો નરમેધ કીધો મ્હેં.
જયા : પિતા ! અપરાધી મા કરો.
- મ્હને સુખી કરી આપે.
- મ્હારા આત્માનાં કુન્દન
- તવાયાં મહાતપની મહાજ્વાલામાં