પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩
જયા-જયન્ત
 


વનવનનાં તીર્થ ભમ્યાં, ને
સૌ પુણ્યોદકે પાવન થયાં છો.
(વ્રત લેવા સજ્જ થયેલી જયા કુમારી પધારે છે.)

રાજરાણી : પણ આ મ્હારી હૈયાહાર,

જગમાંની એકાકી જીવનદોરી,
સુખ ન પામે, સંન્યસ્ત લે,
હૈયું ફાટે છે એ નિરખીને તો.

જયા : માતા ! ત્‍હારે મ્હને સુખથી શણગારવી છે ને ?

મ્હારે સુખનો શણગાર છે સંન્યસ્ત.
તું રડ માઃ સંસારમાં સુખ છે,
પણ તે પલકદરિયાવ.
આટઆટલી તીર્થયાત્રામાં યે
ન દીઠા ત્‍હેં સંન્યાસનાં અક્ષય્ય સુખ ?

ગિરિરાજ : દંડવત્ કરી ક્ષમા પ્રાર્થે છે

જયા ! ત્‍હારો પિતા
મ્હારા રાજમદની અગ્નિજ્વાલામાં
તું કુમારીનો નરમેધ કીધો મ્હેં.
(જયાને પગે પડવા જાય છે, જયા અટકાવે છે.)

જયા : પિતા ! અપરાધી મા કરો.

મ્હને સુખી કરી આપે.
મ્હારા આત્માનાં કુન્દન
તવાયાં મહાતપની મહાજ્વાલામાં