આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫
જયા-જયન્ત
- અમારી કથાની આ મન્ત્રઘોષણાઃ
- સન્તાનના સ્નેહને ઉછેરજો,
- વાળજો, પરિશુદ્ધજો;
- પણ ઉચ્છેદજો મા.
કાશીરાજ : નવખંડના આર્યકુટુંબની ઓ માતા !
- ક્ષમા કરજો આ રાજઅહમ્ ને.
- વીસરજો પૂર્વની કથની;
- ને જીત્યાં તેમ શીખવજો જીતતાં.
જયા : તીર્થરાજ છો, સદા પુણ્યવન્તા જ છો.
- સાધુઓના શિરછત્ર છો, રાજવી !
- એ રાજધર્મનું પરિશીલન જ છે
- જગતના જયનો રાજવિધિ.
- બ્રહ્મરાણીજી જગાવશે બ્રહ્મઘોષણા
- વારાણસીના દેવમન્દિરો ગજવી ગજવી,
- બે પડશે પડઘો સર્વત્ર નરલોકમાં.
કાશીરાજ : ગિરિરાજ ! સાંભળી લ્યો ગિરિદેશ.
- ગયું હોય તો માગી લેજો.
- પણ હા ! રાજવી !
- ગયા દિવસો ક્ય્હાંથી વાળીશ ?
- વેઠેલાં વિતકો કેમ વિસરાવીશ?
- રાજમાતા ! પગલાંથી પાવન કીધી
- મ્હારી વારાણસીની વાડીઓ.