પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫
જયા-જયન્ત
 


અમારી કથાની આ મન્ત્રઘોષણાઃ
સન્તાનના સ્નેહને ઉછેરજો,
વાળજો, પરિશુદ્ધજો;
પણ ઉચ્છેદજો મા.
(કાશીરાજ ને રાજમહીષિ આવે છે.)

કાશીરાજ : નવખંડના આર્યકુટુંબની ઓ માતા !

ક્ષમા કરજો આ રાજઅહમ્ ને.
વીસરજો પૂર્વની કથની;
ને જીત્યાં તેમ શીખવજો જીતતાં.

જયા : તીર્થરાજ છો, સદા પુણ્યવન્તા જ છો.

સાધુઓના શિરછત્ર છો, રાજવી !
એ રાજધર્મનું પરિશીલન જ છે
જગતના જયનો રાજવિધિ.
બ્રહ્મરાણીજી જગાવશે બ્રહ્મઘોષણા
વારાણસીના દેવમન્દિરો ગજવી ગજવી,
બે પડશે પડઘો સર્વત્ર નરલોકમાં.

કાશીરાજ : ગિરિરાજ ! સાંભળી લ્યો ગિરિદેશ.

ગયું હોય તો માગી લેજો.
પણ હા ! રાજવી !
ગયા દિવસો ક્ય્હાંથી વાળીશ ?
વેઠેલાં વિતકો કેમ વિસરાવીશ?
રાજમાતા ! પગલાંથી પાવન કીધી
મ્હારી વારાણસીની વાડીઓ.