આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૦
જયા-જયન્ત
- જયા ! આ ત્હારા મઠનો પાયો,
- નીચે લખ્યું છે 'પુણ્યજીવન.'
- ને ત્હારો મન્દિરધ્વજઃ
- ઉપર લખ્યું છે 'જીવનસિદ્ધિ.'
કાશીરાજ : પણ, બ્રહ્મબાલે !
- શું શું કરશો આ મઠ માંડીને ?
જયા : રાજેન્દ્ર ! ગંગાએ મ્હારી અશુદ્ધિ ધોઇ,
- મૈયાએ મ્હને પવિત્રતા પાઇ;
- એ પવિત્રતા પસરાવીશ પૃથ્વીમાં.
- સ્હામે તીરે છે જયન્તની રામવાડી.
- ત્ય્હાં છે વીર રસનાં મહાકાવ્ય;
- અહીં જન્મશે શૃંગારના કાવ્યશણગાર.
- ત્ય્હાં છે બ્રહ્મોપનિષદ;
- અંહી અવતરશે બ્રહ્મકવિતા.
- પ્રભુની આજ્ઞા છે સુન્દરીસંઘને કે
- જગત જન્માવવું ને ધવરાવવું.
- આ મઠમાં કામધેનુઓ ઉછેરીશ;
- એ કામધેનુઓ નરલોકને ધવરાવશે,
- ને માનવીનાં દેવ ઉછેરશે.
- અવનીને અમૃતમેઘથી સીંચશે,
- ને અમરો ઉતરશે વાડીએ વાડીએ.