પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
જયા-જયન્ત
 


ગિરિરાજ: એ રાજેશ્વર તે જયન્ત.

રાજરાણી: અપમાનો મા, મહરાજ !

આપની કે મ્હારી સુબુદ્ધિને
નથી ગામ કે નથી ગરાસ,
તે રાજરાજેન્દ્રોનો રાજાધિરાજ?

ગિરિરાજ: એ છે જયન્ત, દેવલોકનો યુવરાજ.

દૈત્યોનો જય એ જ એનાં સામ્રાજ્ય.
નથી અન્યથા એવા મહારાજ્ય
આત્માના અમીરને જગતભરમાં
સુરેન્દ્ર કોપનું વજ્ર -

રાજરાણી: ધરતી જેટલી સ્ત્રીઓ છે અવિચળ.

આજ જ પાઠવું છું લગ્નપત્રિકા.
(જાય છે)

ગિરિરાજ: (જતાં જતાં રાજરાણીને)

તો વેઠજો ધરિત્રી જેટલી ધીરજથી.
(સ્વગત)
અહા ! રાજ્ય ચલાવવાં અઘરાં છે,
પણ એથી યે છે અઘરાં-અઘરાં
ખેડવા રાજકુટુંબમાંનાં રાજતન્ત્ર