આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
જયા-જયન્ત
જયા : ગંગાની યે માતા ગંગોત્રી.
- ક્યહાંથી લાવું એ નગરીમાં, જયન્ત !
- મ્હારા દેવગિરિના દેવાશ્રમો ?
જયન્ત : રાજવીની રાજઆજ્ઞા છે તે?
જયા : રાજકુમારીની રાજપ્રતિજ્ઞા છે તે?
જયન્ત : એ અહં છે ત્હારૂં, જયા
- નહીં નભે; દુઃખ દેશે.
- વિધિમોકલ્યો આવ્યો છે કુંકુમથાળ,
- કાં મથે છે પાછો વાળવા?
- દેવર્ષિએ ભાખ્યું છે કે
- 'જયાને ભાગ્યે લખ્યાં છે
- વારાણસીનાં વન'
- સવિશેષ છે વિધિલેખથી યે આ;
- વનઘટાને બદલે રાજમહેલ.
જયા : વિધિના વાંકા અક્ષરે હું વાળીશ.
- વારાણસીનાં વનમાં વસીશ,
- તો વનમાં યે વસાવીશ
- મ્હાર વિશ્વોદ્ધારક બ્રહ્મમહેલ.
- પણ નહીં-નહીં વરે
- દેવગિરિની રાજબાલા એ ખીણવાસીને.