આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯
જયા-જયન્ત
દાસી : માતા ! જયાબા તો નથી જડતાં.
રાજરાણી : જયા નથી જડતી !
બીજી દાસી : માતા જયાબા નથી જડતાં.
- પણ માલતીના મંડપે.
- જયન્ત કુમાર જડ્યા.
- લખતા હતા પૃથ્વી ભરીને
- કે 'જયા ગઈ.'
ગિરિરાજ : શું? જયા ગઈ? ક્ય્હાં ગઈ?
- બોલ, જયન્ત ! જય ક્ય્હાં ગઈ?
જયન્ત : જયા શિખરોમાં ગઈ.
રાજરાણી : એણે જ ભગાડી મ્હારી કુંવરીને.
ગિરિરાજ : જયન્ત ! કહે , ક્ય્હાં ગઈ?
- શા કાજે ગઈ?
જયન્ત : રાજબાલાએ રાજમહેલ ત્યજ્યો.
- સાંભળ્યા એણે ભવિષ્યના ભણકાર,
- ને ગિરિશિખરોમાં ગઈ.
- તીર્થરાજ ! આપ તીર્થપતિ છો,