પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૯૧
 

ગણતંત્રો અનેક હતાં પણ એમાં રાજકીય ભાવનાનો આવેગ ધઈમો હતો.
પ્રાંત પ્રાંત વચ્ચે ભારે વૈમનસ્ય પ્રવર્તતું હતું.
ગણરાજ્યો જર્જરિત સ્વરૂપનાં થઈ ગયાં હતાં. એમાં વાદવિવાદો એટલા ચાલતા કે કોઈ કામનો અંત આવતો નહિ અને વિતંડાવાદ એટલો હતો કે કામ કર્યા વગર જ સભા પૂરી થઈ જતી.
ધર્મ અહીં મહાન વસ્તુ લેખાતો હતો પણ દેશપ્રેમ અથવા રાષ્ટ્રભાવનાની કલ્પના ઝાંખી હતી.
ધર્મના નામ પર એક થવાની મોટી શક્યતા સમાજમાં હતી. શાણા આગેવાનો એવી નવચેતના માટે પ્રયત્ન પણ કરતા હતા; પણ વર્ણ, જાતિ અને પ્રાંતવાદના ખડક સાથે અથડાઈને ભારતની એકતા વારંવાર ઠોકર ખાતી હતી.
ધર્મ વિલાસ, વિકાર અને વૈભવનું સાધન બન્યો હતો.

આવા સમયને વાતાવરણને કથામાં મઢીને લેખક સરસ રીતે ઉપસાવી શક્યા છે.

લેખકને પ્રિય એવી કેટલીક ભાવનાઓ-વાતો બંને ભાગમાં ગુંજ્યા કરે છે :

 સઘળા મહાવિકારોમાં કામવિકાર બહુ બૂરો છે. બહુ ભયંકર છે. તે બધું નષ્ટભ્રષ્ટ કરી નાખે છે.
 વિકારના તમામ હેતુઓ હોય છતાં જેમાં વિકૃતિ ન જાગે ત્યારે સાધકને સાચી સિદ્ધિ વરે છે.
આત્મિક શક્તિથી મહાન કોઈ શક્તિ નથી.
શક્તિ કરતાં ભક્તિ વધારે ઊંચી છે.
સાધુ જો રાજા હોય, ને રાજા જો સાધુ હોય તો આ સંસારમાં બીજી કોઈ શક્તિની જરૂર ન રહે.