પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુના અવસાન પછી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા જયભિખ્ખુ સ્મૃતિગ્રંથના પ્રકાશન સમયે : સર્વશ્રી લાલભાઈ શાહ, ધીરુભાઈ ઠાકર, રતિલાલ દેસાઈ, કંચનભાઈ પરીખ, છોટુભાઈ ઘડિયાળી, અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, પં. સુખલાલજી અને મહંતશ્રી શાંતિપ્રસાદજી

લીધે સમારંભોમાં છવાઈ જતા. વળી વક્તૃત્વ પણ પ્રભાવી હતું. ષષ્ટિપૂર્તિ પછીના સમયમાં જયભિખ્ખુ જે વ્યાધિથી વર્ષોથી ઘેરાયેલા રહેલા તે વધતો રહ્યો. ડાયાબિટીસનું પ્રમાણ નિયંત્રિત ન રહ્યું. નબળી આંખો વિશેષ નબળી પડવા માંડી. લોહીનું દબાણ વધઘટ થવા માંડ્યું. કિડની પર અસર થઈ હતી. પરંતુ મનોબળ પ્રબળ હતું આથી વ્યાધિને અવગણીને પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. એમણે જ લખેલું : 'મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે જિવાય છે.' ઈ. સ. ૧૯૬૮ની રોજનીશીમાં લખાયેલું આ વિધાન એમની જિંદાદિલીનું પ્રમાણ છે. વર્ષ પછી ઈ. સ. ૧૯૬૯માં દિવાળી ટાણે શરીર રંજાડવા માંડ્યું, પરંતુ મનમાં શંખેશ્વર જવાની ઇચ્છા થઈ હતી એટલે મનોબળે , ઢીલી તબિયતે પણ અપાર શ્રદ્ધાથી તીર્થધામે જવા નીકળેલા જયભિખ્ખુ શંખેશ્વર પહોંચ્યા ત્યારે તબિયતમાં ખાસ્સો સુધારો થયો. ત્યાં ચાર દિવસ રહીને લાભપાંચમે અમદાવાદ પાછા ફર્યા. એ સંદર્ભે રોજનીશીમાં લખ્યું હતું : 'અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં સાવ નવા ચેતનનો અનુભવ થયો. મન


૩૧
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ