'અબ હમ અમર ભયે ન મરેંગે'નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.' શંખેશ્વરમાં સંકલ્પ કર્યો હતો તીર્થ વિશે પુસ્તક લખવાનો અને પૂરા વેગથી એ કાર્ય પ્રારંભ્યું પણ હતું. એ દરમિયાન સ્વાથ્ય કથળ્યું અને ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ના દિવસે જયભિખ્ખુની જીવનયાત્રા થંભી ગઈ. આ જીવનધર્મી, મૂલ્યનિષ્ઠ સાહિત્યકારે ૨૫ નવેમ્બર ૧૯૬૯ અર્થાત્ મૃત્યુ અગાઉ એક મહિના પૂર્વે રોજનીશીમાં લખ્યું હતું : 'મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું. પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.' આ હતી એક જૈનની મનોભાવના. એક ભાવનાશાળી સર્જકની આંતરઇચ્છા. એમાં મૃત્યુનો સ્વીકાર પણ નિહિત છે.
જેમ સાહિત્યકારો, ચિત્રકારો, કલાકારો સાથે જયભિખ્ખુને નાતો હતો