પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ



‘જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો ને મનસ્વી પુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે ?'

મૃત્યુ પૂર્વે રોજનીશીમાં નિખાલસભાવે આવું લખનાર હતા બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ, જે સાહિત્યજગતમાં 'જયભિખ્ખું' નામે ઓળખાય છે. એમનું નામ ઓગળી ગયું અને સાહિત્યસમાજમાં ઉપનામ વ્યાપી ગયું. એમણે લગભગ ચાર દાયકા સુધી લેખન કરીને, શબ્દની નિજ-અભિપ્રેત આરાધના કરી. કહોને, શબ્દના સહારે, શબ્દના સાંનિધ્ય જીવનને વૃત્તબદ્ધ કરીને પ્રવૃત્ત રહ્યા – આજીવન. નિવૃત્ત થવાનું કદી ન વિચાર્યું. કર્મને ઈશ્વરદત્ત પ્રસાદ માનીને જીવ્યા. કશાય ધ્યેય વગર, ઉદ્દેશ વગર લખવું એમની તાસીર નહોતી. નિજાનંદ ખરો પણ લેખન જીવનનો આધાર બનતાં એમાં સમાજ સામાજિકતાને જોડવાનું બન્યું. આથી લેખનમાં સમાજ લક્ષિતા ભળી અને એ સંદર્ભે કશીક નિસબતથી શબ્દ સાથે કામ પાડ્યું. વિદ્વત્તાના ભાર તળે નહીં પણ લોક-સમાજને રુચે, જચે અને સત્કર્મમાં પ્રેરે એવું લખ્યું. એથી તો જનસામાન્યમાં પ્રીતિપાત્ર બન્યા. લોકપ્રિયતા પણ એટલી જ પ્રાપ્ત થઈ. એમણે એમની નિસબતથી પણ રસવાહી લખાણ કર્યું.

જીવનધર્મી જયભિખ્ખુ મૂળે માણસ ડાયરાના પણ ડાયરો સુજ્ઞજનોનો


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ