પૃષ્ઠ:Kankavati.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઓલવી નાખે. રોજ બહેનના વ્રતમાં વિઘ્નો નડે. પછી એ બોલી : 'સારું, માડી! તું તેથી કડિયામાં દેવતા લઈ ને સીમમાં જઈશ, વાછરુના કાનમાં દાણી મેલીશ, વાછરુ સાંભળશે. ને વાત કહીશ.'

એક બાજુથી વાર્તા કહેવાની વિધિ આટલી સખત: ‘વાત નો કહીએ તો ઉપવાસ પરે ,

બીજી બાજુથી વાર્તા તો માનવીને બદલે વાછરુને પણ સંભળાવી શકાય. આચારની સખતાઈને આવી ઉદાર રીતે ઢીલી કરી શકાતી. એવો જ પ્રસંગ પુરુષોત્તમ માસની કથામાં છે. વાંઝિયાને ઘેર બ્રાહ્મણો જમવા જવાનું માનતા નથી એટલે વહુ પીપળાને નોતરું દઈ આવે છે. પશુ પંખી અને વનસ્પતિ વગેરે જીવસમસ્તમાં પોતાના સરખો જ પ્રાણ ધબકતો. જોવાની દૃષ્ટિમાંથી જ આવી રૂઢિમુક્ત સજીવતા જન્મતી હશે.

નિરુપયોગિતાનો શાપ

સમાજજીવનની હૂબહૂ ભાવના તો શીતળા સાતમમાં સંઘરાયેલી પડી છે. એ નાળિયેર જેવડાં ફળથી લચકતો આંબો, એ મોતી સમાં નિર્મળા નીરે ભરેલી તળાવડીઓ ને એ બાર ગાઉના સીમાડા ભમતી સાઢડી: તમામનો વેદના-સૂર એ જ છે કે “શા માટે સમાજમાં કોઈ અમારી સમૃદ્ધિનો ઉપયોગ નથી કરતું?” નિરુપયોગી પડ્યા રહેવામાં હીન ભાગ્ય માનવાનો એ આદર્શ છે. ને ત્યાર પછી આવે છે. સામાજિક પાપો અને તેની સજાને વર્ણનઃ સમાજને શાસ્ત્રો ન સંભળાવનાર વિદ્વાન બ્રાહ્મણ, છાશમાં દગો કરનાર દેરાણીજેઠાણી, અન્યને પોતાની ઘંટીએ દળવા ન દેનાર નારી, પરસ્પર કલહ કરનાર ગામ-પટેલો. સખાવત ન કરનારી સંતતિહીન શ્રીમંત, એ બધાં દુર્ગતિને પાત્ર ઠર્યા, કેમ કે તેઓએ તે કાળની સામાજિક જવાબદારીઓ અદા ન કરી. એટલે કે તે સમયની સમાજરચનામાં પાડોશીધર્મ પ્રાણરૂપે હશે.

કુમારિકાઓનાં વ્રતો

એ તો જાણે કે વ્રતો નથી, પણ વર્ષોવર્ષ, ઋતુના રંગ અનુસાર, નાની કન્યાઓની સાથે રમવા આવતી તેવાતેવડી સહિયરો છે. માનવદેહ ધરીને કુદરતવાર જ કુમારિકાઓના ઉલ્લાસ કવિતારૂપે પ્રકટ થાય છે. એ કુમારિકા-વ્રતોનું સાદામાં સાદું એક સ્વરૂપ લઈએ; કોઈ પણ સાંજરે નાની કન્યાઓ રમવા નીસરે, એમાંની જે કન્યા પહેલવહેલું ચાંદરડું આકાશમાં ઉદય પામતું નિહાળે, તે તરત જ હાથની કલ્પિત કંકાવટી કરી, કલ્પિત છટા ઉરાડી સૂત્ર સમું જોડકણું બોલવા લાગે

પેલું ચાદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું,
આભલાં ડાભલાં
સોનાનાં બે ગાભલાં
ફૂરડીમાં સાકર