પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
કુલવધૂ સુજાતા



એ કોઈનું કહ્યું માનતી નહિ. સાસુસસરાને ગાંઠતી નહિ અને સ્વામી ઉપર પણ તેની શ્રદ્ધા નહોતી.

અનાથપિંડદના આમંત્રણનું માન રાખીને બુદ્ધદેવ એક દિવસ તેને ઘેર ભિક્ષા કરવા ગયા હતા. અગાઉથી જ તેમને સારૂ યોગ્ય આસન વગેરે સામગ્રી તૈયાર હતી. ભગવાન પધાર્યા એટલે અનાથપિંડદે તેમનો સત્કાર કરીને આસન ઉપર બેસાડ્યા તથા પોતે સન્મુખ બેઠો. એ સમયે શેઠના અંતઃપુરમાં ઘણી ગડબડ મચી રહી હતી. ઊંચે સાદે લડતાં મનુષ્યોનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. ભગવાને પૂછ્યું: “શેઠજી ! ઘરમાં આટલી બધી ગડબડ શાની છે ? કોઈ માછીમારની માછલી ચોરાઈ ગઈ હોય અને જેવો ખળભળાટ મચી રહે એવી ગડબડ અહીં છે.” અનાથપિંડદે હૃદય ખોલીને પોતાના દુઃખની વાત બુદ્ધદેવને કહી. તેણે કહ્યું: “ભગવન્ ! સાચી વાત છે. મારી એક પુત્રવધૂ મોટા ઘરની દીકરી છે. એ મારે ઘેર આવી છે ત્યારથી કોઈને ગાંઠતી નથી. એ ઘણી મિજાજી છે, તેના સ્વામીને પણ ગણકારતી નથી. સાસુસસરાનું અપમાન કરે છે. ભગવાન ઉપર પણ તેનો અનુરાગ નથી, એ કોઈ દિવસ પૂજા પણ કરતી નથી. તેના આચરણથી કંટાળીને અંતઃપુરવાસી સ્ત્રીઓ બૂમાબૂમ કરી રહી છે.”

ખરાબ સ્વભાવનાં મનુષ્યો હંમેશાં વહેમી હોય છે. અનાથપિંડદને ભગવાન બુદ્ધદેવની પાસે જતો જોઈને સુજાતાએ મનમાં વિચાર્યું કે, મારા સસરા મારી નિંદા કરવા જાય છે. એવા વહેમથી એ અંતઃપુરના બારણા આગળ આડમાં ઉભી રહીને બુદ્ધદેવ સાથે અનાથપિંડદને શી શી વાત થાય છે તે સાંભળવા લાગી. ભગવાનને બાતમી મળી કે, સુજાતા છાનીમાની બધું સાંભળી રહી છે, એટલે એમણે અનાથપિંડદને કહ્યું: “સુજાતાને અહીં બોલાવો.” ભગવાનની આજ્ઞાને માન આપીને સુજાતા અંદરથી બહાર આવી અને ભગવાનને નમસ્કાર કરી દૂર જઈ બેઠી. ભગવાને તેને સંબોધીને કહ્યું: “સુજાતા ! પુરુષને સાત પ્રકારની ભાર્યા હોય છે. જેવી કે –(૧) વધકાસમા (વધકારિણી) (૨) ચોરીસમા (૩) આર્યસમા (૪) માતૃસમા (૫) ભગિનીસમા (૬) સખીસમાં (૭) દાસીસમા. તું આ સાતમાંથી કયા પ્રકારની ભાર્યા છે ?”

સુજાતાએ કહ્યું: પ્રભુ હું આપના સંક્ષિપ્ત ઉપદેશનો મર્મ