પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિવાહ :

૨૫

વિદેશી આવીને ઊભો રહ્યો ? દરવાજે આ રણભેરી કોણે બજાવી ? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી ?

જાનૈયાઓ વીજળીના ચમકારની જેમ ખડા કેમ થઈ ગયા ? તલવાર ખેંચીને ક્ષત્રિઓ વરકન્યાની આસપાસ કાં વીંટળાઈ વળ્યા ? કેાઈ યમદૂત આવી પહોંચ્યો કે શું ?

ના; એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે : “દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે, મર- ધરપતિ રામસિંહ રણે ચડી ચૂકયા છે. જોધાણનાથે કહાવ્યું છે કે, હે માંડળિકો ! હથિયાર લઈને હાજર થજો. બોલો, રાણા રામસિંહનો જય !”

મેડતાનો રાજા માયરામાં ઊભો ઊભો ગરજી ઊઠ્યો કે “જય, રાણા રામસિંહનો જય.” એની ભ્રુકૂટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી અાંખેામાં અાંસુ છલછલ થાય છે. એનું અંગ થર થર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઊઠયો કે “રાજપૂત સાવધાન ! હવે સમય નથી.” એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કમ્પી ઊઠયો, દીવાની જયોતો જાણે થંભી ગઈ.

“અશ્વ લાવો, રે કોઈ દોડો ! અશ્વ લાવો.” રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શકયાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી અાંસુ ઊઠયાં તે આંખોને ખૂણે આવીને જ પાછાં વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્નમુગટ, એની