આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ
૮૪
કર્ણ : નિર્ભય રહેજો, માડી ! વિજય તે આખરે પાંડવોનો
જ થવાનો છે, આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં
લખાઈ ચૂકયું છે, આ શાંત રાત્રીની અંદર પણ નભો-
મંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા
સંભળાય છે. અમારી હાર હું તો જોઈ રહ્યો છું. જે
પક્ષને પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને
કહેશે ના, માડી ! ભલે પાંડવો જીતે ને રાજા બને.
હું તો એ હારનાર પક્ષમાં જ પડયો રહીશ. મારા
જન્મની રાત્રીએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો
મૂકેલો, નનામો કરી ગૃહહીન બનાવેલો, આજે એ જ
રીતે, મનના મોહ મારીને, ઓ માડી ! મને આ
અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી
દો. માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો ઓ
જનેતા ! કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું
શૂરાનો માર્ગ કદાપિ ન છોડું.